Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ, નિયમ તોડી પોલીસ સાથે ઝપાઝપી કરનાર રાજ શેખાવતની અટકાયત

Webdunia
મંગળવાર, 30 મે 2023 (11:27 IST)
raj shekhavat baba bageshwar
બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજથી બે દિવસ યોજાઈ રહ્યો છે, ત્યારે બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ધમાલ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ શેખાવત વચ્ચે ઘર્ષણ થયું છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ રાજ શેખાવત અને તેમના બાઉન્સરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીથી નજીક 50 મીટરનો એરીયા (ડી એરિયા) કોઈને બેસવાની મંજૂરી હોતી નથી. જોકે આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ડી એરિયામાં બેઠા હતા. આ દરમિયાન DCP ભગીરથસિંહ જાડેજાએ તેમને ઉભા થવાનું કહેતા રાજ શેખાવતે તેમની સાથે બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન રાજ શેખાવત ડીસીપીને ધક્કો માર્યો હતો, જેના કારણે ભગીરથસિંહ જાડેજાના સ્ટાફ વચ્ચે મામલો બિચક્યો હતો. રાજ શેખાવત અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયા બાદ રાજ શેખાવતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તુરંત રાજ શેખાવતને ઝડપી પાડ્યો હતો અને પોલીસની ગાડીમાં બેસાડી દીધો હતો.

આ ઘટના અંગે ઝોન-7 DCP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત મંજુરી વગર ડી એરિયામાં બેઠા હતા, જેમને ઉભા થવાનું કહેતા શેખાવતે રકઝક શરૂ કરી દીધી હતી. ત્યારબાદ શેખાવતે પોલીલ સાથે ઝપાઝપી કર્યા બાદ ઉભી પૂંછળીયે ભાગવાનો પ્રયાસ કરતા તેને ઝડપી પાડ્યો હતો. મંજુરી વગર ડી એરિયામાં બેસતા હાલ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments