Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસટી બસ પર તીર મારો, કંડક્ટરને છાતીમાં તીર વાગ્ચું

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (16:06 IST)
બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જઈ પરત ફરી રહેલી એસટી બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. તીરમારો એટલે જોરદાર હતો કે, ચાલુ બસે કંડકટરને છાતીમાં તીર વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. છોટાઉદેપુરથી રાજ્યની સરહદને અડીને આવેલ મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા ચાલતી ગુજરાત વચ્ચે એસટી બસો ચાલે છે. રેગ્યુલર શિડ્યુલ મુજબ, ગઈકાલે સાંજે 6:10 કલાકે છોટાઉદેપુરથી કઠ્ઠીવાડા જવા બસ રવાના થઈ હતી અને સાંજના 7 વાગે છોટાઉદેપુર પરત ફરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશની હદમાં આવેલ જંગલ વિસ્તારમા અચાનક બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. જેમાં સદનસીબે ડ્રાઈવર અને બસમા સવાર છ મુસાફરો બચી ગયા હતા. પરંતુ બારીના ખુલ્લા કાચમાથી આવેલ એક તીર કંડક્ટર ગોવિંદભાઈની છાતીમા ઘુસી ગયુ હતું. તીરને કારણે ગોવિંદભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તીર વાગ્યાની જાણ થતા જ એસટી બસના ચાલકે 108ને જાણ કરી હતી. ગોવિંદભાઈને છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. બનાવને લઈ બસના ચાલકે છોટાઉદેપુર પોલીસ મથકમા તીરમારો કરનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, આ તીરમારો કયા કારણોસર થયા છે તે જાણી શકાયું નથી.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments