Webdunia - Bharat's app for daily news and videos

Install App

થાઈરોઈડનો ઈલાજ - ઘરેલુ ઉપચાર અને દેશી નુસ્ખા અપનાવી જુઓ

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (15:34 IST)
જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ  ટેસ્ટ કરાવવાથી શરીરમાં થાઈરોઈડ લેવલ ચેક કરવામાં આવે છે. 
 
1. હળદર દૂધ - થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો. 
 
2. દૂધીનુ જ્યુસ - રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કશુ ખાશો પીશો નહી. 
 
3. તુલસી અને એલોવેરા - બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. 
 
4. લાલ ડુંગળી - ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો. ત્યારબાદ ગરદન પરથી ડુંગળીને ધુવો નહી 
 
5. લીલા ધાણા - થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો.  આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો.  એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે.  
 
6 કાળા મરી - કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે.  કોઈપણ રીતે તમે કાળા મરીનું સેવન કરશો તો ફાયદો કરશે. 
 
7. બદામ અને અખરોટ - બદામ અને અખરોટમાં સેલીનીયમ તત્વ રહેલુ હોય છે જે થાઈરોઈડની સારવારમાં ફાયદો કરે છે.  આના સેવનથી ગળાના સોજામાં પણ આરામ મળે છે. હાઈપોથાયરાઈડમાં આ ઉપાય વધુ લાભકારી છે. 
 
8. અશ્વગંધા - રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. 
 
9. એક્સરસાઈઝ - રોજ અડધો ક અલાક એક્સરસાઈઝ કરો. તેનાથી થાઈરોઈડ અધતો નથી અને કંટ્રોલમાં રહે છે. 
 
10. બાબા રામદેવ મેડિસિન - થાયરોઈડથી છુટકારો મેળવવા માટે જો તમે બાબા રામદેવ દ્વારા બતાવેલ દવા લેવા માંગો છો તો દિવ્યા કાંચનાર ગુગ્ગુલુ લો.  આ દવા તમને કોઈપણ પતંજલિ સ્ટોરમાં મળી જશે. 
 
થાઇરોઈડમાં શુ ખાશો 
 
- થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ડાયેટમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 
 
- થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવો.  અઠવાડિયામાં એકવાર તમે નારિયળ પાણી પીવો તો સારુ રહેશે. 
 
- આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરો. જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments