Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં 12 વર્ષની કિશોરીથી દુષ્કર્મ, 7 મહિનાનો ગર્ભ રહ્યો, પિતા નક્કી કરવા DNA ટેસ્ટ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (19:04 IST)
રાજકોટના કોઠારિયા રોડ પર વેલનાથપરા વિસ્‍તારમાં બે શખસે 12 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં મૂળ બિહારના બે શખસે કોઠારીયા વિસ્‍તારમાં રહેતી 12 વર્ષની બિહાર પંથકની જ એક કિશોરીને હવસનો શિકાર બનાવી છે. બંનેએ અલગ અલગ રીતે કિશોરી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચરતા આ કિશોરીના પેટમાં સાતેક મહિનાનો ગર્ભ રહી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે. જેમાં એક 22 વર્ષનો અને બીજો 24 વર્ષનો શખસ છે. ત્યારે સગીરાના પેટમાં રહેલુ બાળક કોનું? એ જાણવા DNA ટેસ્‍ટ કરાવવામાં આવશે.
 
પેટમાં દુઃખાવો ઉપડતા માતા પુત્રીને હોસ્પિટલ લઇ ગઇ
મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારે બે સંતાન છે અને છૂટક મજૂરી કરું છું. દીકરો પણ મજૂરીએ જાય છે. પતિની તબિયત સારી ન રહેતી હોઇ એ વતનમાં જ રહે છે. બે દિવસ પહેલા મારી દીકરી કે જેની ઉમર અધારકાર્ડ મુજબ 12 વર્ષ 3 મહિના જેટલી છે. તેને પેટમાં દુઃખાવો ઉપડતાં તપાસ કરાવતાં તેના પેટમાં સાત માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્‍યું હતું. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્‍યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે.
જ્‍યારે અગાઉ જ્‍યાં રહેતાં ત્‍યાં પડોશમાં રહેતાં અમનસિંગ રાજપૂતને પણ પોતે ઓળખે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video - 100 રૂપિયામાં રંગરેલીયા મનાવતા યુવા, આ કેફેમા યુવાઓના ભવિષ્ય ખરાબ થઈ રહ્યુ હતુ

મૈસૂર-દરભંગા ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરી હજુ પણ શરૂ

બાબા સિદ્દીકીની હત્યામાં એક નહીં પરંતુ બે એંગલ, ફાયરિંગ સમયે કોન્સ્ટેબલ હાજર હતો

બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.

બાબા સિદ્દીકીની હત્યાના 2 આરોપીઓની ધરપકડ, કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થશે, જાણો આ કેસમાં અત્યાર સુધી શું થયું?

આગળનો લેખ
Show comments