Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pakistan News - પાકિસ્તાનમાં ચાલતી ટ્રેન બની "ધ બર્નિંગ ટ્રેન" 3 બાળકો સહિત 7 મુસાફરોના મોત, અનેક લોકો દઝાયા

Webdunia
ગુરુવાર, 27 એપ્રિલ 2023 (17:51 IST)
ચાલતી ટ્રેનમાં અચાનક આગ લાગતાં પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો. ટ્રેક પર દોડતી આ ટ્રેનને જોઈને લોકો સમજી શક્યા નહીં કે તે ક્યારે ‘ધ બર્નિંગ ટ્રેન’ બની અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ. લોકોને મામલો સમજાયો અને આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 7 મુસાફરોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં મુસાફરો દાઝી ગયા હતા.

<

#Sindh #Pakistan- At least seven people killed when business coach of a Karachi Express train caught fire near Tando Masti Khan station in #Khairpur District, Ministry of Railways officials have said (@ShehxadGulHasen) pic.twitter.com/1KjqcU4gGm

— CyclistAnons (@CyclistAnons) April 27, 2023 >
 
આ દિલ કંપાવનારી ઘટના પાકિસ્તાનના સિંઘ શહેરમાં થઈ. જ્યા એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં આગે અચાનક વિકરાળ રૂપ લઈ લીધુ. આ દર્દનાક દુર્ઘટનામાં 3 બાળકો અને 1 મહિલા સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા. એક અધિકારીએ ગુરૂવારે આ માહિતી આપી. તેમને જણાવ્યુ કે ગઈકાલે રાત્રે કરાંચીથી લાહોર જઈ રહેલી કરાચી એક્સપ્રેસના બિઝનેસ ક્લાસના ડબ્બામાં આગ લાગવાની આ ઘટના બની. ટ્રેનના ડબ્બામાંથી આગની લપેટો અને ધુમાડો ઉઠ તો જોઈને રેલવેના અધિકારીઓ અને મુસાફરો ગભરાય ગયા.  
 
40 મિનિટમાં મેળવ્યો આગ પર કાબૂ 
 
રેલવેના પ્રવક્તા મકસૂદ કુંડીએ કહ્યું કે કોચમાં આગ કેવી રીતે લાગી તે જાણવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગ્યા બાદ તે ડબ્બો ટ્રેનથી અલગ થઈ ગયો હતો. કુંડીએ કહ્યું, “આ ઘટનામાં ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. એક મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો. રેલ મંત્રાલયે આની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે આગની જાણ થતાં જ ટ્રેનને નજીકના સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને ફાયર વિભાગને તાત્કાલિક કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી.  ફાયર ટેન્ડરો લગભગ 1.50 વાગ્યે સ્થળ પર પહોંચી ગયા હતા અને 40 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments