Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારને ઈંધણ પર વેટથી 2 વર્ષમાં 34 હજાર કરોડ કમાણી; 5 રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં ભાવ વધશે

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (10:02 IST)
દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ- ડીઝલના ભાવમાં ધરખમ વધારો થવાને કારણે સામાન્ય લોકોના બજેટ ખોરવાઇ ગયાં છે પણ રાજ્ય સરકારની આવકમાં જંગી વધારો થયો છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ છેલ્લાં બે વર્ષમાં પેટ્રોલ- ડીઝલ અને સીએનજી, પીએનજીના વેચાણ પર લેવામાં આવતા વેટ પેટે રાજ્ય સરકારને 34,094 કરોડ રૂપિયાની માતબર આવક થઇ છે.રાજ્ય સરકારે વેટ ઘટાડ્યા બાદ પણ આવકમાં આગલા વર્ષની સરખામણીએ ભારે વધારો થયો છે. રાજ્ય સરકારને વર્ષ 2021માં જ 20 હજાર કરોડ રૂપિયાની જંગી આવક પેટ્રોલ- ડીઝલના વેટમાંથી થઇ છે. વર્ષ 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકારને પેટ્રોલ- ડીઝલ, સીએનજી અને પીએનજીના વેરા પેટે 13,691 કરોડ રૂપિયાની આવક થઇ હતી જ્યારે વર્ષ 2021માં આવકમાં 6700 કરોડ રૂપિયાનો વધારો થતાં કુલ આવક 20,402 કરોડ રૂપિયા થઇ હતી. વેટના દરમાં ઘટાડા પછી પણ સરકારની આવક ઘટી નહોતી.હાલમાં પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બંને પર 4 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે. જ્યારે વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરવપરાશના પીએનજી પર વેટનો દર 15 ટકા વસૂલવામાં આવે છે. પેટ્રોલ- ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવાને કારણે નાગરિકોને લિટર દીઠ 7 રૂપિયાની રાહત થઇ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments