Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં ગરબા કેમ રમવામાં આવે છે જાણો છો ?

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (18:04 IST)
નવરાત્રીનો આ તહેવાર દેવી માતાની પૂજા અને ઉપાસના કરવા માટે મનાવવામાં આવે છે. 
 
મા અંબેના ભક્ત તેને પુર્ણ નવ દિવસ માતાની પૂજા કરીને દરેક સાંજે તેમની આરતી પછી એક મોટા મેદાનમાં માતાના નામનો દિવો પ્રગટાવીને તેની ચારેબાજુ ગરબા રમે છે. 
 
પણ શુ આપ જાણો છો કે નવરાત્રીના નવ રાત સુધી ગરબા કેમ રમવામાં આવે છે 
 
આવો આજે અમે તમને બતાવીએ છીએ ગરબા રમવાનુ કારણ 
 
ઉલ્લેખનીય છે કે ગરબા સંસ્કૃતના ગર્ભથી નીકળ્યા છે. નવરાત્રીના આ તહેવારમાં આ સંપૂર્ણ નૃત્ય માટીથી બનેલ એક ગર્ભની આસપાસ કરવામાં આવે છે. માટીથી બનેલ આ ગર્ભનો અર્થ અસલમાં સંસારના મૂળ મતલબ પ્રસવ, જન્મ કે ઉત્પત્તિથી છે. 
 
મેદાનમાં મુકવામાં આવનારા આ ગર્ભની અંદર માતાના નામનો એક દીવો પણ મુકવામાં આવે છે. જેને ગર્ભ દીપ કહેવાય છે. નવરાત્રીમાં લોકો આ ગર્ભદીપની ચારેબાજુ ગરબા રમે છે. 
 
આ વાતને પ્રતીકાત્મક રૂપે એવુ કહેવામાં આવે છે કે આ સંસારની ઉત્પત્તિ આપણા સૌની ઉત્પત્તિ આ ગર્ભથી જ થઈ છે જેને આપણે માતા અંબે કહીએ છીએ અને આપણા બધાનુ પુર્ણ જીવન આની જ ચારેબાજુ ફરે છે. આપણે જન્મ લઈએ છીએ અને આપણુ જીવન જીવીએ છીએ પછી મૃત્યુને પ્રાપ્ત કરીએ છીએ. 
 
આ મોક્ષ પછી જીવનનુ આ ચક્ર ફરીથી શરૂ થાય છે અને આ જીવન ચક્ર કહેવાય છે. 
 
જે રીતે આપણુ જીવન મા અંબેની ચારેબાજુ ફરે છે એ જ રીતે ગરબાની આ રમત પણ આપણા જીવનચક્રનુ એક પ્રતીક છે. જે નિરંતર ચાલતુ રહે છે. ક્યારેય રોકાતુ નથી અને આ જીવનની ધુરી, જેનુ સંપૂર્ણ કેન્દ્ર મા ના નામના ગર્ભથી થાય છે. 
 
હિન્દુ ધર્મ મુજબ જીવનચક્રની આ વિચારધારા આપણા ધર્મમાં આટલા સરળ અને સહેલાઈથી બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે નવરાત્રીન આ ઉત્સવ દ્વારા આપણા બધાના જીવનમાં આ સંપૂર્ણ રીતે ઉતરી આવે છે અને આપણે તલ્લીનતાથી ઉત્સવમાં જોડાઈને જીવનના આટલા ગૂઢ રહસ્યને સહેલાઈથી સમજી જઈએ છીએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments