Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુનામીએ તબાહ કરી નાંખેલી પ્રાચીન નગરી ધોળાવીરામાં મળી આવી હોવાનો દાવો

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (17:49 IST)
ગુજરાતમાં વિશ્વની પ્રથમ પ્રાચિન નગરી શોધી કાઢી હોવાનો પુરાતત્વવિદોએ દાવો કર્યો હતો. તેમના આ દાવામાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ નગરી સુનામીને કારણે નાશ પામી હતી. ગોવાના પણજીમાં એક પત્રકાર પરિશદને સંબોધતા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓશનોગ્રાફીના ડાયરેક્ટર SWA નકવીએ કહ્યું છે કે, ગુજરાતમાં કચ્છના રણમાં આવેલા ધોળાવીરા નામનો પુરાતત્વિક મહત્વનો વિસ્તાર મળ્યો છે, જે આયોજિત રીતે સ્થપાયેલી શહેરી વસ્તી હતી, અને લગભગ ૩, ૪૫૦ વર્ષ પહેલા સુનામીના કારણે તબાહ થઇ ગયું હતું.
  તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ વિસ્તાર અત્યારસુધીમાં શોધાયેલા વિસ્તારોમાં દુનિયાનો સૌથી જુનો વિસ્તાર છે, જે અમારા માનવા મુજબ સુનામીની ઝપટમાં આવ્યો હતો. ધોળાવીરા પ્રાચીન હડપ્પા સભ્યતાના કાળમાં વસેલી 'આધુનિક શહેરી' વસ્તી હતી, જેને હડપ્પા યુગમાં સૌથી મોટું બંદરગાહ શહેર માનવામાં આવતું હતું. આ શહેર લગભગ 5 હજાર વર્ષ પહેલા વસ્યું હતું, અને લગભગ ૩, ૪૫૦ વર્ષ પહેલા સુનામીએ તેને તબાહ કરી દીધું હતું. ધોળાવીરા ભારતની સીમાઓની અંદર હડપ્પા યુગનો બીજો સૌથી મોટો વિસ્તાર છે, જેમાં ત્રણ ભાગ છે - એક કિલ્લો, મધ્યવર્તી શહેર અને નીચલું શહેર. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન શાખાના અગ્રણી વિજ્ઞાની રાજીવ નિગમે જણાવ્યું છે કે, ધોળાવીરાની એક મહત્વની ખાસિયત તે છે કે ૧૪ - ૧૮ મીટર પહોળી દીવાલ, સંભવત: સુનામીના સુરક્ષાના હેતુથી બનાવવામાં આવી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments