Webdunia - Bharat's app for daily news and videos

Install App

JK - બડગામમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ : 63 જવાનો ઘાય઼લ, 3 યુવાઓના મોત

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (23:37 IST)
બડગામ જિલ્લામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ છે સ્થાનિક પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો અને સર્ચ ઓપરેશન શરુ કરતાઆતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. જવાબમાં સેનાના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. સામસામે થયેલા આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયાંના સમાચાર છે. જે જગ્યા પર એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું ત્યાં સ્થાનિક લોકો આતંકીઓના બચાવમાં સામે આવ્યા હતા અને સેનાના જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો.
 
ર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની અને મીરવાઈઝ ઉમર ફારૂક અને JKLF ચેરમેન મોહમદ યાસિન મલિકે એક સયુક્ત નિવેદનમાં કહ્યું કે, આ ઉપરાંત શુક્રવારે જુમ્માની નવાજ પછી પણ  શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવા અને પૂર્ણ પણે હડતાલ કરવાનું એલાન આપવામાં આવ્યું છે.
 
સેનાના જવાનો ચંડોરાના દુરબુઘ ગામમાં છુપાયેલા આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં વ્યસ્ત હતા, ત્યારે દેખાવકારો એક મકાન જેમાં આતંકવાદીઓ આશરો લીધો હતો તેને કરવામાં આવેલી ઘેરાબંધીને તોડવાનો પ્રયત્ન કરતા હતા. તેમને દૂર ધકેલવા કરવામાં આવેલા ઓપન ફાયરમાં બે યુવાઓના મોત થઈ ગયા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments