Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં પદ્માવત ફિલ્મ વિરોધમાં અન્ય સમાજે પણ ટેકો જાહેર કર્યો

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (12:38 IST)
વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવા માટે સુપ્રીમની મંજૂરી મળ્યા બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની લાગણીને માન આપી સિનેમાઘરોના માલિકોએ આ ફિલ્મ રિલીઝ ન કરવાની ખાતરી આપી દીધી છે. છતાં આજરોજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સહિતના વિવિધ સમાજની એક ખાસ બેઠક મળી હતી. જેમાં અન્ય સમાજના લોકોએ પણ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો અને કોઈપણ સંજોગોમાં રાજકોટમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાનો કોલ આપ્યો હતો.

શહેરમાં પદ્માવત ફિલ્મ અંગે ગઈકાલે જ થિયેટર માલિકો અને કરણી સેનાના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. જેમાં થિયેટર માલિકોએ આ ફિલ્મ પોતાના થિયેટરમાં નહીં ચલાવવાની ખાતરી આપી હતી. ત્યારે આજરોજ ગરાસિયા બોર્ડિંગમાં તમામ સમજો સાથે રાજપૂત સમાજ દ્વારા એક ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં તમામ અન્ય સમાજ દ્વારા પણ રાજપૂત સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ તકે પદ્માવત સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. પદ્માવત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ તરીકે સર્વ સંમતિથી નરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments