અંકજ્યોતિષ રાશિફળ 2016ના મુજબ મૂલાંક 3ના જાતકો માટે આ વર્ષ મિશ્રિત રહેશે. આ વર્ષ અંક ત્રણના જાતકોની ઈચ્છાઓ વધશે અને વધતી ઈચ્છાઓ અનેકવાર તમારે માટે સારા તો અનેકવાર ખરાબ પરિણામો લઈને આવશે. જો કે તમારી ચાહત આ વર્ષે તમને કામ કરતા રહેવાની પ્રેરણા આપશે જે એક પોઝીટીવ ફેક્ટર છે.
વર્ષ 2016માં શુ ન કરશો
મૂલાંક 3ના જાતકોએ આ વર્ષે પુર્ણ પ્રયાસ કરવો જોઈએ કે ઓવર-સ્પૈંડિંગથી બચો. જેટલુ જરૂર હોય એટલો જ ખર્ચ કરો. પૈસા બચાની ચાલવાની આદત નુકશાનદાયક હોઈ શકે છે. યાદ રાખો વર્ષ 2016માં જેવો તમારો વ્યવ્હાર રહેશે એવુ જ તમને ફળ મળશે. તેથી જેટલુ બની શકે તમારા વ્યવ્હાર અને કામને સંગઠિત કરો.
શુ કરશો વર્ષ 2016માં
આ વર્ષ તીર્થ યાત્રા વગેરે પર જવાના યોગ છે. આ વર્ષે જ્યારે ઈચ્છા થાય ત્યારે ફરવા જાવ અને નવા મિત્રો બનાવો. આ તમને મુશ્કેલ સમયમાં હસવાની ઢાઢસ આપશે. આ વર્ષ વિકાસ અને ફેરફાર બંને જ તમારી જીંદગીને પ્રભાવિત કરશે. જીવનમાં અનેક ક્ષેત્રોમાં તમે પ્રગતિ કરશો. ટ્રાંસફર કે નવી પ્રોપર્ટી લેવાના પણ ચાંસ છે. આ વર્ષે પ્રયત્ન કરો કે કોઈ નવી પ્રતિભા શીખો. આ વસ્તુ આવનારા સમયમાં તમારે માટે લાભકારી સાબિત થશે. રચનાત્મક કાર્યો પ્રત્યે જોડાવ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે.