Dharma Sangrah

જ્યોતિષ 2016 હોળી-ધુળેટી - ક્યારે ઉજવશો હોળી, 22 કે 23 માર્ચના રોજ ?

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2016 (14:25 IST)
હિન્દુ ધર્મ જીવિત અને પુરૂષાર્થી જાતિનો ધર્મ છે. તેનો દરેક તહેવાર જાગૃતતા અને ક્રિયાશીલતાનો સંદેશ આપે છે. રંગોનો તહેવાર હોળી ભારતનો બીજો મુખ્ય તહેવાર છે. જે મોટાભાગના સ્થાનો પર બે દિવસ ઉજવાય છે. હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. મતલબ હોળીને પ્રગટાવવામાં આવે છે જેને હોળી કે નાની હોળી કહે છે. બીજા દિવસે રંગવાળી હોળી ઉજવાય છે જેને ધુળેટીના નામથી ઓળખવામાં આવે છે. 
 
હોળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે તમે આ ગૂંચવણમાં છો તો જાણો જ્યોતિષના મત. હોળિકા દહન પ્રદોષ વ્યાપિની પૂર્ણિમાના રોજ ભદ્રારહિત કાળમાં કરવાનુ વિધાન છે. 2016માં પૂર્ણિમા પ્રદોષ વ્યાપિનીની સાથે 22 માર્ચના રોજ બપોરે 3 વાગીને 13 મિનિટના રોજ શરૂ થઈ જશે. મોટાભાગના વિદ્વાનોનુ માનવુ છે કે હોળિકા દહન 22 માર્ચના રોજ કરી લેવામાં આવે અને 23 માર્ચના રોજ ધુળેટી મનાવવામાં આવે. 
 
અન્ય જ્યોતિષાચાર્યોનુ માનવુ છે કે ધર્મસિંધુ, બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ 22 માર્ચના રોજ પૂર્ણિમા તિથિ પડી રહી છે તેમા ભદ્રા પણ વ્યપ્ત છે. 23 માર્ચના રોજ આવનારી પૂર્ણિમા પ્રદોષ વ્યાપિની ન થઈને 3 વાગીને 15 મિનિટ પર સમાત્પ થઈ જશે. આ ત્રણ પ્રહરથી વધુ સમય સુધી રહેશે તેથે શાસ્ત્રો મુજબ આ દિવસે હોળિકા દહન કરવુ શુભ રહેશે. 
 
બ્રહ્મવૈવર્ત પુરાણા મુજબ દિવસના સમયે હોળિકા દહન કરવુ નિષિદ્ધ માનવામાં આવ્યુ છે. 23 માર્ચના રોજ વૃદ્ધિગામિની પ્રતિપ્રદામાં સંધ્યાકાળના સમયે 4 વાગીને 55 મિનિટથી લઈને 5 વાગીને 31 મિનિટ સુધી હોળિકા દહન કરવાનો સમય શાસ્ત્રો મુજબ અનુકૂળ માનવામાં આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈનકમ ટેક્સ, બૈકિંગથી લઈને રેલવે સુધી - 1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: નોકરિયાતો અને દૈનિક મુસાફરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

Show comments