દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો બધા જ વિધ્ન કે અંતરાયો કહી શકાય. તેને દૂર કરવામાં આવે તો જ તમને ધારી સફળતા મળી શકે છે. તમારે પણ તમારા કામમાં સફળતા મેળવવી હોય તો નીચે જણાવેલ ઉપાયો અજમાવી જુઓ.
તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે - કોઈ ધાર્યુ કામ થતુ ન હોય તો પીળા કપડાંને ધ્વજના આકારમાં બનાવી અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર પર ચઢાવવાથી કાર્યમાં સફળતા મળે છે.
પ્રમોશન મેળવવા માટે - શુક્લ પક્ષના સોમવારે સિધ્ધિયોગમા ત્રણ ગોમતી ચક્ર એક ચાંદીના તારમાં પરોવીને હંમેશા પોતાની પાસે જ રાખવા.
વ્યવસાયમાં લાભ મેળવવ ા - જો તમારો વ્યવસાય સારી રીતે ચાલતો ન હોય અથવા ગ્રાહક ઓછા આવતા હોય કે પછી તમારો વ્યવસાય કોઈના દ્વારા બાંધી દેવામાં આવ્યો હોય તો દુકાનના પૂજા સ્થળ પર કે વ્યવસાયના પૂજા સ્થાન પર સુદ પક્ષના શુક્રવારે અમૃતસિદ્ધ દાનદા યંત્ર રાખવુ પછી નિયમિત રૂપે અગરબત્તી ધૂપ કરીને તેના રોજ દર્શન કરવા આવુ કરવાથી તમને ધંધામાં ફાયદો થશે.