Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ 25 તારીખે

Webdunia
N.D
25 માર્ચ 2010ના રોજ ગુરૂ પુષ્યામૃતનો મહાયોગ આવી રહ્યો છે. સાત દસકા પછી ચૈત્ર દશેરા પર આ મહાયોગ વિવિધ વસ્તુઓની ખરીદી માટે શુભ અને પ્રગતિ સૂચક બતાવવામાં આવ્યો છે.

જ્યોતિર્વિદ પં ગોચર શર્માએ અહી માહિતી આપતા કહ્યુ કે 30 માર્ચ 1939ના રોજ ચૈત્ર દશેરાના દિવસે મહાયોગની તક આવી હતી. 71 વર્ષ પછી મહાયોગની તક 25 માર્ચ 2010, ગુરૂવારના રોજ આવશે. આમ તો ગુરૂ પુષ્યનો યોગ આવતો જ રહે છે. આ વખતે ચૈત્રી દશેરાના રોજ ગુરૂ પુષ્યામૃત મહાયોગ છે.

N.D
પં શર્માએ જણાવ્યુ કે ગુરૂવારે પૂર્ણાતિથિ પંચમી, દશેરા અને પૂનમ હોય છે, ત્યારે સિધ્ધિ યોગ હોય છે. આ યોગ સમસ્ત કાર્યો માટે સિધ્ધિદાયક હોય છે. ગુરૂ પુષ્યામૃત યોગ સવારે 10.41 પછી દિવસભર રહેશે. જેમા પણ સવારે 11.5 વાગ્યાથી બપોરે 3.39 વાગ્યે સુધી ક્રમશ: ચર, લાભ અને અમૃતનુ ચોઘડિયુ રહેશે. ત્યારબાદ સાંજે 5.11 વાગ્યાથી રાત્રે 9.39 સુધી શુભ, અમૃત અને ચલનુ ચોઘડિયુ રહેશે.

આ વિશેષ દિવસના ખાસ મૂહૂર્તમાં સોનુ, શેર, જમીન, મકાન, વાહન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, વાસણો, પુખરાજ સહિત અન્ય નંગ અને વસ્ત્રો ખરીદવા શુભ અને પ્રગતિકારક રહે છે. પંડિત શર્માએ જણાવ્યુ કે ગુરૂ પુષ્યામૃતની તક હવે 27 વર્ષ પછી 26 માર્ચ 2037ના રોજ આવશે.

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments