Dharma Sangrah

યોગ - આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે યોગ

Webdunia
આંખો આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે માટે આપણી એ જવાબદારી બને છે કે તેનું પૂરતું ધ્યાન રાખીએ. ઉંમરની સાથે આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને કઠોર થઇ જાય છે. આંખોની રોશનીને વધારવા માટે તમારે નિયમિતરૂપે યોગ કરવા જોઇએ. યોગથી નિકટદ્રષ્ટિ દોષ(માયોપિયા) અને દૂરદ્રષ્ટિ દોષ(હાઇપરમેટ્રોપિયા)ને સુધારી શકાય છે.

પ્રાણાયમ - ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

સવાસન - આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.

સર્વાંગાસન - પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.

આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.

બિહાર - ટીમ ઈંડિયાની વિકેટ પડતા ખુશીથી ચીસો પાડવા માંડ્યો યુવક, લોકોએ એટલો માર્યો કે થયુ મોત

All England Open 2026 - લક્ષ્ય સેન 2019 એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યો હતો, તેણે 1.37 કલાક ચાલેલા મુકાબલામાં કેનેડિયન ખેલાડીને હરાવ્યો હતો.

Char Dham Yatra 2026 - ચાર ધામ યાત્રા માટે ઉચ્ચ તકનીકી સુરક્ષા, 1,600 સીસીટીવી કેમેરા દરેક ગતિવિધિ પર નજર રાખશે.

રાંચીમાં ધોળા દિવસે એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, એક વેઈટરનું મોત; ઘટના સીસીટીવીમાં કેદ થઈ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 10 માર્ચ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Show comments