Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cup - શિખર ધવન ત્રણ અઠવાડિયા માટે બહાર, ટીમ ઈંડિયાને મોટો ફટકો

World Cup
Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (17:11 IST)
વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમને એક મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અગાઉની મેચમાં શાનદાર સદી લગાવનારા ઓપનર શિખર ધવનના અંગૂઠામાં વાગવાથી ત્રણ અઠવાડિયા માટે તેઓ ક્રિકેટ નહી રમી શકે.  ધવનના ડાબા હાથના અંગૂઠામાં વાગી ગયુ હતુ. હવે ટીમ સામે પડકાર એ હશે કે રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી કયા બેટ્સમેનને આપવામાં આવે. જેનાથી ટીમ ઈંડિયાનુ વિજયી સંયોજન બગડી પણ શકે છે. 
 
ઋષભ પંતને મળી શકે છે તક 
 
ટીમ ઈંડિયામાં હવે શિખર ધવનના સ્થાન પર ઋષભ પંત પણ ઓપનિંગની જવાબદારે સાચવી શકે છે.  પંત રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે. પંત તેથી પણ કપ્તાન વિરાટની પસંદ બની શકે છે.  કારણ કે પંત આક્રમક બેટિંગ માટે ઓળખાય છે અને તેમનુ તાજેતરનુ પ્રદર્શન પણ શાનદાર રહ્યુ છે. આમ તો વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં પંતના ન હોવાથી દેશ વિદેશના પૂર્વ ક્રિકેટરોએ તેની આલોચના કરી હતી. 
 
વિરાટ સામે મોટો પડકાર 
 
ટીમ ઈડિયાના કપ્તાન વિરાટ કોહલી સામે હવે સૌથી મોટો પડકાર ધવનના વિકલ્પને લઈને છે. આમ તો ટીમ પાસે કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક જેવા  બેટ્સમેન છે. કેએલ રાહુલ હાલ ચોથા  નંબર પર બેટિંગ કરી રહ્યા છે. પણ તે ઓપનરના રૂપમાં ટીમ માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. બીજી બાજુ દિનેશ કાર્તિક રિઝર્વ વિકેટકિપરના રૂપમાં ટીમમા હાજર છે. આવામાં તેઓ આ જવાબદારી સાચવી શકે છે. 
 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં થયા હતા ઘાયલ 
 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન શિખર ધવનને ડાબા હાથના અંગૂઠામાં વાગી ગયુ હતુ. ઘવનને ઝડપી બોલર નાથન કુલ્ટર નાઈલની ઉછાળ લેતી બોલથી વાગ્યુ હતુ. જો કે તેઓ દુખાવો છતા બેટિંગ કરતા રહ્યા. તેઓ વધુ ગંભીર ન થઈ જાય એ માટે ધવન ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નહોતા. તેમના સ્થાન પર રવિન્દ્ર જડેજાએ ફિલ્ડિંગ કરી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments