Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવુ હોવુ જોઈએ આપણુ ઘર

Webdunia
આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખો

- દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.

- ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

- ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.

- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.

- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

સંબંધિત સમાચાર

વર-વધુએ સ્મશાનમાં લીધા ઊંધા ફેરા

ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર શરૂ કર્યોઃ ચોતરફ કેસરિયો લહેરાયો, આકરી ગરમીમાં જનમેદની ઉમટી

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી જુઓ

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, ગણતરીના દિવસો બાકી

Nadiad accident- દુબઈથી આવેલી 1 મહિલાની સાથે એક MBBS વિદ્યાર્થીની પણ મોત Video

14 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે આ રાશિના લોકો પર થશે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે

13 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માં દુર્ગાની કૃપા રહશે

12 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માતાના આશિર્વાદ રહેશે, અચાનક મળશે ખુશીના સમાચાર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

10 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આજે ખૂબ જ સરળતાથી મળી જશે

આગળનો લેખ
Show comments