Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: શુભ કાર્ય કરતા પહેલા દહી-સાકર કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેનું પરફેકટ લોજીક

Webdunia
શનિવાર, 3 ડિસેમ્બર 2022 (01:00 IST)
કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, શાળામાં પરીક્ષા આપતા પહેલા અથવા તમે ક્યાંક બહાર જતા હોવ ત્યારે તમને પહેલા દહી-સાકર ખવડાવવામાં આવે છે. લગ્ન જેવા શુભ કાર્ય કરતા પહેલા પણ વરરાજાને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. જો તમે વિચારી રહ્યા હોય  કે આવું કેમ કરવામાં આવે છે, તો ચાલો આજે તમને તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જણાવીએ.
 
જીવનમાં થાય છે બધુ કુશળ મંગલ
હિન્દુ ધર્મમાં દહીંને પાંચ અમૃતમાંનું એક માનવામાં આવે છે. જ્યોતિષના મતે જ્યારે પણ કોઈ સફેદ વસ્તુ ખાઈને ઘરની બહાર નીકળે છે ત્યારે મનમાં એકાગ્રતા અને સકારાત્મકતા વધે છે. જેના દ્વારા કોઈપણ કામ સારી રીતે કરી શકાય છે. ઘરની બહાર નીકળતા પહેલા દહીં ખાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.  સાથે જ આપણા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવું માનવામાં આવે છે કે દહીં ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને શું કરવું તે સમજાતું નથી તો દહીં ખાઓ. તેનાથી તમારું મન શાંત થશે. પછી તમે કોઈપણ કામ સરળતાથી કરી શકશો.
 
 સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દહીં અને ખાંડ
દહીં આપણા શરીર માટે સુપરફૂડ જેવું છે. દહીં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. ડોક્ટરોના મતે દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે. દહીં ખાવાથી આંતરડાની અંદર ઘણા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે. બીજી ઘણી વસ્તુઓ ખાવાથી આંતરડામાં ફૂલી જાય છે. 
દૂધથી બનનારા દહીંમાં ખોરાકના પાચનમાં મદદ કરવા સાથે, નેચરલ લેક્સેટીવ એટલે કે ખોરાક નરમ બનાવવામાં પણ મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન B-2, B-12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ વિટામિન અને મિનરલ્સ પણ જોવા મળે છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments