Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips : જો તમે તમારા ઘરમાં શાંતિ જાળવી રાખવા માંગતા હોય તો સૂર્યાસ્ત પછી ન કરશો દૂધનુ સેવન

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (00:45 IST)
જીવનમાં નાનકડો ફેરફાર ફક્ત જીવનમાં જ નહીં પણ તમારા ઘરમાં પણ મોટો ફરક લાવે છે. તમારે ફક્ત વાસ્તુશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે. જો તમે ધાર્મિક વ્યક્તિ છો અને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો અમે કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છે જે તમારા ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવશે.
 
તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે સૂર્યાસ્ત પછી ન કરવી જોઈએ.
 
1. ગંદા વાસણો ક્યારેય ન છોડો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ગંદા વાસણો સિંકમાં રાખવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં વાસણોને હંમેશા શનિ અને શુક્રની નિશાની માનવામાં આવે છે. તેથી, સૂતા પહેલા વાસણો સાફ કરવા જોઈએ
 
2. સૂર્યાસ્ત પછી દૂધનું સેવન ન કરો
શનિ, જે અંધકારનું ઘર છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં ચંદ્ર છઠ્ઠા ભાવમાં હોય અથવા અન્ય કોઈ રીતે હોય તેમણે રાત્રે દૂધ ન પીવું જોઈએ.
 
3. પથારી પર બેસીને જમશો નહી 
આપણા ઘરમાં એક સામાન્ય પ્રથા છે કે પરિવારના સભ્યો ટેલિવિઝન જોતી વખતે પથારીમાં બેસીને જમી લે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ખોટી રીત છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં અનુસરીએ છીએ. 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પલંગ પર ભોજન કરવાની આ આદત ઘરના સભ્યો વચ્ચેનો પ્રેમ ઓછો કરી શકે છે. તેમજ ખરાબ સપના આવે છે અને ઘરની શાંતિ ભંગ થાય છે. 
 
4. સૂર્યાસ્ત પછી વાળ અને નખ કાપવા નહીં
આધુનિક દિવસોમાં, રાત્રે વાળ કાપવા અને નખ કાપવા સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ઘરની શાંતિને બગાડે છે.
વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે વાળ શનિનુ સૂચક માનવામાં આવે છે જ્યારે કાતર અને બ્લેડ મંગળનું સૂચક છે. આ કારણે રાત્રે વાળ કપાવવા ન જોઈએ. એ જ રીતે રાત્રે નખ કાપવાથી મંગળ અને શનિની દુશ્મની વધે છે.

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments