Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરમાં ક્યારેય આ 3 પ્રકારના લાકડા ન મુકવા જોઈએ, શ્રીમત લોકોને પણ કરી નાખે છે બરબાદ

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2022 (00:21 IST)
ઘણીવાર તમે લોકોને લાકડાની સજાવટની વસ્તુઓ, ફોટો ફ્રેમ અને મૂર્તિઓ ઘરમાં રાખતા જોયા હશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ત્રણ ખાસ પ્રકારના લાકડા રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે આવી કોઈ વસ્તુ ખરીદો તો સૌથી પહેલા જુઓ કે તેને બનાવવા માટે કયા પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કયા લાકડા અથવા તેનાથી બનેલી વસ્તુઓ ઘરમાં રાખવી અશુભ કહેવાય છે.
 
દૂધવાળા ઝાડનું લાકડું
તમે ઘણી જગ્યાએ એવા વૃક્ષો જોયા હશે, જેની ડાળીઓ અથવા પાંદડા તૂટે છે અને તેમાંથી સફેદ રંગનો ચીકણો પદાર્થ નીકળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા વૃક્ષનું લાકડું અથવા તેનાથી બનેલી વસ્તુઓ ક્યારેય ઘરમાં ન મુકવી જોઈએ. રબરનું ઝાડ અને આક વૃક્ષ એવા બે વૃક્ષો છે જેમાંથી આ સફેદ ચીકણો પદાર્થ નીકળે છે. ભૂલથી પણ તેના લાકડા અથવા તેનાથી બનેલી વસ્તુઓ ઘરે ન લાવો.
 
સ્મશાનમાં ઉગનારૂ ઝાડ
 
જો સ્મશાનગૃહના લાકડાનો ઉપયોગ સજાવટની કોઈ વસ્તુ, મૂર્તિ કે ફ્રેમ બનાવવામાં કરવામાં આવ્યો હોય તો તેને ઘરે ન લાવો. આ પ્રકારનું લાકડું ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે.  
તે તમારા ઘરની આર્થિક સમૃદ્ધિને બરબાદીમાં ફેરવી શકે છે. સ્મશાનમાં ઉગતા વૃક્ષના લાકડાને પણ ઘરમાં બાળવું જોઈએ નહીં. તેનું લાકડું ઘરથી દૂર રહે તો સારું રહેશે.
 
કમજોર અને સૂકા વૃક્ષો
જો નબળા અથવા સૂકા ઝાડના લાકડાનો ઉપયોગ કોઈપણ વસ્તુ અથવા મૂર્તિ બનાવવા માટે કરવામાં આવે છે, તો તેને ઘરે બિલકુલ ન લાવો. ખાસ કરીને એવા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરશો નહીં જે ઉધઈ અથવા કીડીઓ દ્વારા પોકળ થઈ ગયા હોય. આ સિવાય એવા વૃક્ષો કે જેના પાંદડા સુકાઈ ગયા છે અને તેમાં માત્ર બે જ સૂકી ડાળીઓ રહી ગઈ છે, તેનો સામાન કે લાકડું ઘરે લાવતા નહિ.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments