Biodata Maker

તોડફોડ વગર આ રીતે દૂર કરો વાસ્તુદોષ - 5 ઉપાય

Webdunia
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (16:09 IST)
ઘણીવાર એવું હોય છે કે  વાસ્તુને ધ્યાન રાખ્યા વગર ઘર બનાવી લઈએ છીએ અને ઘરમાં શિફ્ટ થયા પછી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવા ઘરમાં વાસ્તુના હિસાબથી પરિવર્તન કરવા માટે તોડ-ફોડ અને ફેરફારની જરૂર હોય છે. તોડફોડથી આર્થિક નુકશાન તો થાય છે, કીમતી સમય પણ બરબાદ થાય છે. કેટલાક સાધારણ વાસ્તુ દોષોનો સહેલો ફેરફાર કરી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. 
1. દોષ- ડબલબેડની  દિશા ઉલ્ટી સાઈડમાં છે અને ત્યાં તમે બેડ  લગાવી શકતા નથી. 
 
ઉપાય- તેના માટે બેડની સામે એક અરીસો લગાવી દો. . 
 
2. દોષ-ઘરના અગ્નિ ખૂણામાં રસોડું હોવુ શુભ ગણાય છે, પણ જો આવું ન હોય તો.. 
 
ઉપાય- આ દિશામાં ગેસ રાખી લો. જો આવું કરવું શક્ય ન હોય તો આ દિશામાં પીળા રંગનો બલ્બ લગાવી નાખો, આ બલ્બને ચાલૂ રાખો. 
 
3. દોષ- ઘરની પૂર્વ દિશાનો ભાગ બીજી દિશાઓથી ઉંચો હોવો. 
 
ઉપાય- આ દોષને હટાવવા માટે પૂર્વ દિશામાં લોખંડનો એક પાઈપ લગાવી શકો છો. ઘરના દક્ષિણી-પશ્ચિમી ભાગમાં ઠોસ વસ્તુઓ અને ઉત્તરી-પૂર્વી ભાગમાં હલકી વસ્તુઓ મૂકવી જોઈએ. 
 
4. દોષ- મુખ્યદ્વાર જો આગ્નેય (પૂર્વ-દક્ષિણ ખૂણા અગ્નિનો સ્થાન) માં હોય... 
 
ઉપાય- મુખ્ય બારણા પર ડાર્ક લાલ રંગનું પેંટ કરવું કે બારણા પર લાલ રંગના પડદાં લગાવવાથી આ દોષનું   નિવારણ થઈ શકે છે. બારણ પર બહારની તરફ સૂર્યનું  ચિત્ર લગાવી દો અને બની શકે તો પૂર્વ અગ્નિ ખૂણામાં આવેલ બારણાને બંધ રાખો. 
 
5. દોષ- રસોડાના બારણાના ઠીક સામે બાથરૂમનું  બારણું હોવું નકારાત્મ્ક ઉર્જાને આમંત્રણ આપે છે. જો તમારા ઘર માં પણ આવું હોય.. 
 
ઉપાય- બાથરૂમ અને રસોડાની વચ્ચે એક પડદો શકય હોય તો એક બારણુ બનાવી લો.  જેથી બંને સામસામે દેખાય નહી.  ઘરની અંદર ખાસ કરીને ધાબા પર ક્યારેય પણ  રદ્દી કે તૂટેલો સામાન ન મૂકવો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

આગળનો લેખ
Show comments