Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીઓ રસોડામાં રાખે આ વાતોનું ધ્યાન, નહી તો પતિના ભાગ્ય પર પડશે ખરાબ અસર

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (13:36 IST)
વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કાર્યનો પ્રભાવ એક બીજાના જીવન પર પણ પડે છે.  વાસ્તુશાસ્ત્રમાં પત્ની માટે કંઈક ખાસ નિયમ બતાવ્યા છે. જેનુ ધ્યાન ન રાખતા પતિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે.  સાથે જ જો પત્ની કિચનમાં રસોઈ બનાવતા આ ભૂલો કરે છે તો પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે. 
 
તેથી કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન 
 
- કિચનમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘરની સુખ શાંતિ માટે યોગ્ય નથી.  જેને કારણે ઘરમાં લડાઈ-ઝગડા થવાની શક્યતા બને છે. 
- પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી સામાન્ય ફળદાયક છે. આ દિશા રસોઈ બનાવવા માટે શુભ નથી મનાતી. 
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી નુકશાનના યોગ બને છે. 
- ઘરમં સુખ શાંતિ કાયમ રાખવા માટે પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. આ દિશા સૌથી સારી માનવામાં આવે છે.  ઘરમાં કિચન કોઈપણ દિશામાં હોય, રસોઈ બનાવનારનુ મોઢુ પૂર્વ દિશા તરફ રહેશે તો તે ખૂબ શુભ રહે છે. 
- વાસ્તુ અને જ્યોતિષ મુજબ નાહ્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ અને ન તો ખાવુ જોઈએ. આવુ કરવાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે જ આ વાતનુ ધ્યાન ન રાખવાથી ઘરમાં દોષ વધે છે અને પતિ-પત્નીને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. 
- રસોડામાં એક બારી જો પૂર્વ દિશા તરફ હોય તો તે ખૂબ સારુ કહેવાય છે. 
- રોજ સવાર સાંજ જમતા પહેલા પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ.  આ શુભ કામ અનેક પરેશાનીઓથી બચાવી શકે છે. 
- વાસ્તુ મુજબ રસોડાની સામે બાથરૂમ ન હોવુ જોઈએ. જો આવુ છે તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અને તેના પર એક પડદો પણ જરૂર લગાવો. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments