Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના મંદિરમાં જરૂર મુકવુ જોઈએ પાણી, જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ શુ છે તેના ફાયદા

Webdunia
બુધવાર, 10 મે 2023 (11:30 IST)
ઘરનુ મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. જ્યાથી સમગ્ર ઘરમાં પૉઝિટિવ એનર્જી આવે છે. આ સ્થાનનુ જેટલુ સ્વચ્છ હોવુ જરૂરી છે એટલુ જ એ જરૂરી છે કે પૂજા ઘરમાં થોડો જરૂરી સામાન હોય જે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવામાં સક્ષમ હોવા ઉપરાંત તે તમારે માટે શુભ પણ હોય છે.  ધર્મ શાસ્ત્રોમાં એવી અનેક વાતો લખવામાં આવી છે જેમનુ સદીઓથી પાલન કરવામાં આવી રહ્યુ છે. તેમાથી જ એક છે તાંબા કે અન્ય ધાતુના વાસણમાં મુકેલુ પાણી.  આ જળને નિયમિત રૂપથી બદલતા રહો અને ઘરના ખૂણા ખૂણામાં છાંટો. ઘરમાં જળ છાંટવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તો ચાલો આજે અમે તમને બતાવીએ આ અંગેના કેટલા વાસ્તુ નિયમો વિશે.. 
 
પાણીનો છંટકાવ કર્યા વર અધૂરી રહે છે પૂજા 
 
પૂજા રૂમમાં મુકેલુ જળ નકારાત્મકતાને શોષી લે છે. તાંબાને પાણી મુકવાની સૌથી પવિત્ર ધાતુ માનવમાં આવે છે. તેથી તેમા જળ મુકવુ સૌથી શુભ હોય છે. તાંબાના વાસણમાં પાણી ભરીને મુકવુ ઘરના વિકાસ માટે શુભ માનવામાં આવે છે.  પૂજા પછી જ્યારે પણ આરતી સમાપ્ત થાય છે તો જળથી જ આરતી ઠંડી કરવામાં આવે છે. આવુ કરવાનુ મુખ્ય કારણ એ છે કે  વરુણ દેવના રૂપમાં જળની પૂજા કરવામાં આવે છે. જે સંસારની દરેક વસ્તુની રક્ષા કરે છે. એવુ બતાવાયુ છે કે આરતીના સમય જળ છાંટયા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા ઘરમાં જળ રાખવામાં આવે છે.   જેનાથી પૂજા અધૂરી છોડીને તમારે જવુ ન પડે અને તમે એ જળનો ઉપયોગ કરી શકો જે પૂજા ઘરમાં મુકેલુ છે. 
 
જળમાં નાખો તુલસીના પાન 
શાસ્ત્રોમાં કહ્યુ છે કે પૂજા ઘરમાં મુકેલા જળમાં તુલસીના થોડા પાન નાખવામાં આવે તો આ જળ વધુ પવિત્ર થઈ જાય છે. આ જળ કોઈ પવિત્ર નદીનુ જળ પણ હોઈ શકે છે. જે પૂજા સ્થળને શુદ્ધ કરી શકે છે.  આ ઉપરાંત ભક્ત દ્વારા ઈશ્વરના દિવ્ય રૂપના પગ અને હાથ ધોવા માટે તેમના પર જળ ચઢાવવામાં આવે છે. જળ દ્વારા ઈશ્વરની મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે અને તેમનો ચેહરો ધોવા માટે તેમના પર પાણી પણ ચઢાવવામાં આવે છે. આ એ જ રીતે થાય છે જેવી રીતે કોઈ યાત્રા પછી ઘરમાં આવેલા મેહમાનનુ જળથી પગને ધોવાની સલાહ આપવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments