Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lucky Flower Plant: ઘરમાં જરૂર લગાવો આ 5 ફૂલોના છોડ, તણાવ દૂર થશે, આવશે સુખ-સમૃદ્ધિ

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (01:18 IST)
Lucky Flower Plant: દરેક વ્યક્તિને ઘર હોય કે ઓફિસમાં લીલા છોડ રોપવાનું પસંદ કરે છે. લીલા છોડ માત્ર દેખાવમાં જ સારા નથી હોતા પરંતુ તે મનને શાંતિ પણ આપે છે. જો ઘરમાં છોડ હોય તો સકારાત્મકતાનો કાયમ રહે છે. કેટલાક વૃક્ષો માત્ર સાજ સજ્જા માટે જ નથી લગાવાતા પરંતુ કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિના આગમનમાં મદદરૂપ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ફૂલોના છોડ લગાવવા પણ ખૂબ જ જરૂરી છે. ફૂલોના છોડ તણાવ દૂર કરે છે. તેમજ તેમને જોઈને મનને શાંતિ મળે છે. આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા રાખે છે. આજે અમે તમને એવા જ કેટલાક ફૂલોના છોડ વિશે જણાવી રહ્યા છીએ, જેને ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એવા 5 ફૂલો વિશે જે જીવનમાં ખુશીઓ લાવે છે.
 
ચંમ્પા - ચંપાના ફૂલને ધાર્મિક દ્રષ્ટિકોણથી પવિત્ર માનવામાં આવે છે. તેના ફૂલોનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. તેના ફૂલોમાં સુગંધ હોવાને કારણે, ચંપાનો છોડ પર્યાવરણને શુદ્ધ કરવા માટે વાવવામાં આવે છે.
 
મોગરા - વાસ્તુ અનુસાર મોગરાનો છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. મોગરાના ફૂલો ઉનાળામાં ખીલે છે. તેની મીઠી સુગંધ મનને તાજગી આપે છે અને ગુસ્સાને શાંત કરે છે.
 
ગુલાબ - મોટાભાગના લોકો પોતાના ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું પસંદ કરે છે. આ ફૂલ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. ગુલાબની સુગંધ માત્ર મનને શાંત જ નથી કરતી પણ તણાવને પણ દૂર કરે છે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. એટલા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ.
 
ચમેલી  - વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં ચમેલીનો છોડ રાખવાથી શુભ ફળ મળે છે. ઘરમાં તેની હાજરીને કારણે પરિવારના સભ્યોના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે. સાથે જ તમને સકારાત્મક ઉર્જા પણ મળે છે.
 
 
પારિજાત - વાસ્તુશાસ્ત્ર અનુસાર પારિજાતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં પારિજાતના ફૂલ હોય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ ચમકદાર ફૂલો ફક્ત રાત્રે જ ખીલે છે અને સવારે તેઓ જાતે જ ઝાડ પરથી પડી જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

9 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે

8 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

Vastu Tips: મીઠું ક્યારે ખરીદવું ક્યારે નહિ ? મીઠાને લગતી વાસ્તુ ટિપ્સ તમારા જીવનમાં લાવશે ફેરફાર

7 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા

6 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની શક્યતા

આગળનો લેખ
Show comments