Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ લગાવો નવા વર્ષનું કેલેંડર, અનેક ફાયદા થશે

Webdunia
શનિવાર, 23 જાન્યુઆરી 2016 (16:25 IST)
વાસ્તુમાં જૂના કેલેંડર લગાવી રાખવા સારા માનવામાં આવે છે. આ પ્રગતિની તકોને ઘટાડે છે. તેથી જૂના કેલેંડરને હટાવી દેવા જોઈએ. અને નવા વર્ષના નવા કેલેંડરને લગાવવુ જોઈએ. જેનાથી નવા વર્ષમાં જૂના વર્ષ કરતા પણ વધુ શુભ તકોની પ્રાપ્તિ થતી રહે. 
 
જો વર્ષભરમા સારા યોગ્ય  અને ફાયદા ઈચ્છો છો તો ઘરમાં કેલેંડરને વાસ્તુ મુજબ જ લગાવો. 
 
વાસ્તુ મુજબ ક્યા લગાવશો કેલેંડર 

કેલેંડર ઉત્તર પશ્ચિમ કે પૂર્વી દિવાલ પર લગાવવુ જોઈએ. હિંસક જાનવરો, દુ:ખી ચેહરાની તસ્વીરવાળા ન હોવા જોઈએ. આ પ્રકારની તસ્વીરો ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર કરે છે. 
 
પૂર્વમાં કેલેંડર લગાવવાથી પ્રગતિની તકો વધે છે 
 
પૂર્વ દિશાના સ્વામી સૂર્ય છે.. જે લીડરશિપના દેવતા છે. આ દિશામાં કેલેંડર રાખવુ જીવનમાં પ્રગતિ લાવે છે. લાલ કે ગુલાબી રંગના કાગળ પર ઉગતો સૂરજ, ભગવાન વગેરેની તસ્વીરોવાળુ કેલેંડર હોય. 
 
ઉત્તર દિશામાં કેલેંડર વધારે છે સુખ-સમૃદ્ધિ 
 
ઉત્તર દિશા કુબેરની દિશા છે. આ  દિશામાં હરિયાળી ફુવારો, નદી-સમુદ્ર ઝરણા વિવાહ વગેરેના ફોટાવાળુ કેલેંડર આ દિશામાં લગાવવુ જોઈએ. કેલેંડર પર ગ્રીન કે સફેદ રંગનો ઉપયોગ વધુ કર્યો હોય. 

પશ્ચિમ દિશામાં કેલેંડર લગાવવાથી રોકાયેલા અનેક કામ બની શકે છે 
 
પશ્ચિમ દિશા વહેણની દિશા છે. આ દિશામાં કેલેંડર લગાવવાથી કાર્યો ઝડપથી થાય છે. કાર્યક્ષમતા પણ વધે છે. પશ્ચિમ દિશાનો જે ખૂણો ઉત્તર તરફ હોય. આ ખૂણાની તરફ કેલેંડર લગાવવુ જોઈએ. 
 
કેલેંડર ન લગાવવુ જોઈ ઘરની દક્ષિણ દિશામાં 
 
 
ઘડીયાળ અને કેલેંડર બંને સમયના સૂચક છે. દક્ષિણ રોકાણની દિશા છે. અહી સમય સૂચક વસ્તુઓને ન મુકશો. આ ઘરના સભ્યોની તકોના અવસરને રોકે છે. ઘરના મુખ્ય સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 
 
મુખ્ય દ્વારથી દેખાય તેવુ કેલેંડર પણ ન લગાવો 
 
મુખ્ય દરવાજા સામે કેલેંડર ન લગાવવુ જોઈએ. દરવાજામાંથી પસાર થનારી ઉર્જા પ્રભાવિત થાય છે. સાથે જ ઝડપી હવા ચાલવાથી કેલેંડર હલવાથી પાના પલટાઈ શકે છે જે સારુ નથી માનવામાં આવતુ. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments