Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પહેલા લઈ આવો આ ચમત્કારી છોડ, ઘરમાં થશે પૈસાનો વરસાદ

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (14:21 IST)
vastu diwali
જો તમે દિવાળીની સાફ સફાઈ કરી લીધી છે અને હવે ઘરને સજાવવાનુ વિચારી રહ્યા છો તો તમે ઘરને જુદા જુદા પ્રકારના છોડથી સજાવો.. આજે અમે તમને આ માટે કેટલાક એવા છોડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. 
 જેનાથી ઘરમાં ક્યારેય ઘનની કમી નહી થાય. આ  વિશેષ છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને તેને વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ છોડ શુભ હોય છે. 
 
 
- તુલસીનો છોડ
તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને મા લક્ષ્મીનો વાસ કરે છે.  તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તેને ઘરના પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામા લગાવવુ શુભ માનવામાં આવે છે. 
 
- મની પ્લાન્ટ 
 મની પ્લાન્ટ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે. આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થાય છે. તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી સકારાત્મક પરિણામ મળે છે, જેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.
 
 
- કમળનો છોડ
કમળના ફૂલને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળી દરમિયાન ઘરમાં કમળનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કમળનું ફૂલ પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
 
- જાસૂદ છોડ
જાસૂદ ફૂલનો ઉપયોગ ખાસ કરીને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજામાં કરવામાં આવે છે. તેને ઘરની પૂર્વ દિશામાં રાખવાથી સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે.
 
- આમળાનો છોડ 
આમળાનો છોડ પણ એક પવિત્ર છોડ છે અને તેને લક્ષ્મીના આશીર્વાદ માટે શુભ માનવામાં આવે છે. આમળાના છોડને લગાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.  આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. અને તેને દિવાળીના સમય ઘરમાં લગાવવાથી પરિવારની સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. 
 
- વાંસનો છોડ
લકી વાંસનો છોડ ઘરમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે જાણીતો છે. આ છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું શુભ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 January 2025 Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

૧૧ જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ૩ રાશિનાં જાતકો પર રહેશે શનિદેવની કૃપા

10 જાન્યુઆરીનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ 4 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

9 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુની કૃપા, બની જશે બગડેલા કામ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ ચાર રાશિઓની ચમકશે કિસ્મત, મળી શકે છે મનપસંદ પરિણામ

આગળનો લેખ
Show comments