Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ દોષ ઉપાય - જો ઘરમાં વાસ્તુ દોષ છે તો મીઠુ અને ફટકડીના આ ઉપાય કામ

Webdunia
મંગળવાર, 24 નવેમ્બર 2020 (08:39 IST)
આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવવાનું શીખવે છે. આપણી પ્રકૃતિમાં એવા ગુણકારી પ્રાકૃતિક સંસાધનો છે જેના પ્રયોગથી આપણે વાસ્તુને ઠીક કરી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ આખુ મીઠુ, સેંધાલૂણ અને ફટકડી મીઠા, પથ્થર મીઠું અને ફટકડી વિશે.
 
આખા મીઠાના વાસ્તુ શાસ્ત્રીય ઉપયોગ - આખું મીઠું સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પણ વાસ્તુ દોષ માટે ખૂબ અસરકારક ઉપાય છે.
 
-જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ ખૂબ વધારે છે, તો આપણે આપણા ઘરમાં મીઠાથી વિલોમ-અનુલોમ પ્રક્રિયા અપનાવીને ઘરની સકારાત્મક ઉર્જાને જાગૃત કરી શકીએ છીએ. થોડું ગરમ ​​પાણીમાં આખા મીઠાના થોડા ગાંગડા નાંખો અને તે પાણીથી આખું ઘર સાફ કરો. થોડા સમય પછી, ઠંડા પાણીથી ફરીથી સાફ કરો. આવુ બે કે ત્રણ વાર કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાગૃત થાય છે.
 
- જો ઘરના બાથરૂમ-વોશરૂમનુ વાસ્તુ યોગ્ય ન હોય તો  કે તે ખોટી દિશામાં હોય, તો કાચની વાટકીમાં થોડું આખું મીઠું મુકીને ત્યા મુકી દો. બે મહિના પછી, તે મીઠુ  ડસ્ટબિનમાં નાખો અને પછી નવું મીઠું મુકો. આ પ્રક્રિયા અપનાવવાથી, વોશરૂમનો વાસ્તુદોષ દૂર થશે. 
 
- જો તમારા મકાનમાં વીજળી મીટર અને વાયરિંગ દક્ષિણ-પૂર્વમાં ન હોય તો એ જગ્યાએ આખુ મીઠુ વીજળી મીટરની નિકટ મુકી દો. 
 
સેંધાલૂણનો વાસ્તુ શાસ્ત્રમાં ઉપયોગ 
 
- સફેદ મીઠું કરતાં સેંધાલૂણ વધારે ઉપયોગી છે. સેંધાલૂણના નિયમિત ઉપયોગથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- જો ઘરના કોઈપણ ખૂણામાં વાસ્તુની ખામી હોય અને નકારાત્મક ઉર્જાની અસરમાં વધારો થયો હોય, તો તે ખૂણામાં સેંધાલૂણના મોટા ટુકડો તે દિશામાં ગ્લાસ અથવા પ્લાસ્ટિકની થાળીમાં મુકવો ખૂબ ફાયદાકારક છે.
 
-આજકાલ સેંધાલૂણના સોલ્ટ લૈમ્પ તૈયાર કરવામાં આવી રહ્યા છે.  તેને અંદરથી ખોખલુ કરીને એક બલ્બ ફિટ કરવામાં આવે છે. બલ્બ ચાલુ કરવાથી સેંધાલૂણના પ્રફુસ્ટન ઝડપથી થાય છે.  સવાર-સાંજ બલ્બ પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે.
 
- ફટકડીના વાસ્તુ શાસ્ત્રીય ઉપયોગો- ફટકડીના બે પ્રકાર છે: સફેદ  ફટકડી અને ગુલાબી રંગની ફટકડી. ફટકડી પણ એન્ટિસેપ્ટિક છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે. પરંતુ તે વાસ્તુ દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક છે.
 - જો તમને ઘરમાં ગમતુ ન હોય, બેડરૂમમાં ઊંઘ ન આવતી હોય કે પછી ઘરે આવતાની સાથે નકારાત્મક લાગણી અનુભવો છો તો ગુલાબી રંગના ફટકડીના કેટલાક ટુકડા કાંચની પ્લેટમાં એ વિશેષ સ્થાન પર  મૂકો. લાભ થશે.
- જો તમને ઘરમાં પ્રવેશતા જ સારુ ન લાગતુ હોય તો ડ્રોઈંગ રૂમ અથવા મુખ્ય દરવાજાની પાછળ ગ્લાસની પ્લેટમાં ગુલાબી ફટકડી મુકો 
-જો તમને બેડરૂમમાં અથવા લિવિંગ રૂમમાં મન ન લાગતુ હોય તો, સારી ઊંઘ ન આવતી હોય કે પછી ખરાબ સપના આવતા હોય તો પછી તમારા માથા પાસે કે કોઈ સ્ટુલ પર કાંચની પ્લેટમાં ગુલાબી ફટકડીનો  500 ગ્રામનો ટુકડો બેડસાઇડની બાજુના સ્ટૂલ પર ગ્લાસ પ્લેટમાં ગુલાબી રંગની ફટકડીનો ટુકડો મૂકો. જાતે જ ફરક અનુભવશો. 
-જો તમારું બાળક ભણવામાં નબળું છે અથવા તેનું ધ્યાન કેન્દ્રિત થતુ નથી, તો તેના સ્ટડી ટેબલ પર અથવા તેના રૂમમાં એક કાંચની પ્લેટમાં ગુલાબી રંગની ફટકડી અને સફેદ ફટકડીનો ટુકડો મૂકો. અપેક્ષિત ફાયદાઓ મેળવવાનું શરૂ થશે.
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments