Webdunia - Bharat's app for daily news and videos

Install App

લક્ષ્મીને ખુશ કરવાના નુસખા અપનાવો

Webdunia
પૈસાની બચત માટે ઉત્તર દિશાનું વાસ્તુ બરાબર હોવું જરૂરી છે. જે લોકોનુ મકાન પૂર્વમુખી અને ઉત્તરમુખી દ્વાર વાળું હોય છે તે શુભ ગણાય છે. ધન ક્યારેય વાયવ્ય દિશામાં રાખવું જોઇએ નહીં. આ ખૂણામાં રખાયેલ ધન અત્યંત ચંચળ બનીને વપરાય જાય છે. સ્થાયી સંપત્તિ, પ્રોપર્ટી વગેરેનાં મહત્ત્વના ડોકયુમેન્ટ્સ પણ ઇશાન ખૂણામાં રાખવાથી ફાયદો થાય છે.

આપણે જોઈએ છીએ કે લોકો રોકડ રકમ અને દાગીના સાથે જ રાખે છે. આવા લોકોએ ધન દાગીના સાચવવા માટે હંમેશાં ઇશાન ખૂણો પસંદ કરવો જોઇએ.

વજનદાર તિજોરીને ક્યારેય ઈશાન ખૂણામાં ન મુકવી જોઈએ. જો તમે પૈસો બચાવવ માંગતા હોય તો નૈઋત્ય ખુણામાં વજન હોવું જોઇએ.

અગ્નિ ખૂણામાં કયારેય પણ પાણી ન રાખવું તે અશુભ ગણાય છે.

ઘરનો દરવાજો નૈઋત્ય ખૂણામાં હોય અથવા ઘર, દુકાન, ઓફિસ, ફેકટરી વગેરેનો નૈઋત્ય ખૂણો જો ખાલી હોય એટલે કે ત્યાં કોઇ વજન ન રખાયું હોય તો પૈસાને લગતી મુશ્કેલીઓ આવી શકે છે, તેથી આ ખૂણામાં વજન અવશ્ય રાખવુ. 

મુખ્ય માલિકની બેઠક નૈઋત્ય ખૂણામાં હોવાથી ફાયદો થાય છે. દુકાનદારોએ પોતાની દુકાનના વાયવ્ય ખૂણામાં એવી વસ્તુ રાખવી જોઇએ જેને તેઓ જલદીથી વેચવા માગતા હોય. 

વાસ્તુશાસ્ત્રની સાથે એ પણ જોવું કે વ્યકિતની જન્મંકુડળીમાં ગુરુ, શુક્ર, બુધ વગેરે ગ્રહ અસ્ત તો નથી ને? કુંડળીમાં કોઈ ભયંકર યોગ બનતો હોય ત્યારે એવી વ્યકિતએ પૈસો પોતાના નામ પર કયારેય પણ સેવિંગ્સમાં ન મૂકવો જોઇએ. કુંડળીમાં લક્ષ્મીયોગ, વગેરે જેવા સારા યોગ હોવાથી પૈસા મળતા તો હોય છે પણ ટકતા નથી હોતા, ત્યારે આવા લોકોને શુક્રવારે તેમજ રવિવારે પૂર્વ દિશામાં મોઢુ રાખીને લક્ષ્મીપૂજન કરવાથી અવશ્ય લાભ થાય છે. 

શ્રીયંત્ર પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઇએ અને કુબેરયંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઇએ. ફેંગશુઇ કાચબો અથવા ટોડ જો ઘર યા ઓફિસ કે દુકાનમાં રાખ્યો હોય તો તેનું મુખ અંદરની તરફ રાખવું, કયારેય બહારની તરફનું મુખ ન રાખવું.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments