Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનવાન થવા માટે અપનાવો આ ઉપાય

Webdunia
P.R
વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળે અથવા તો કર્મના બળે. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઈ જાય છે. તો કહેવાય છે કે નિર્બળના બળ રામ કરો કોઈ ઉપાય.

ધન પ્રાપ્તિ માટે કેટલાક યોગ લક્ષ્મી માતાની પૂજા કરાવે છે. કેટૅલાક તુલસીનો છોડ ઘરમાં મુકીને રોજ સવાર સાંજ ઘી નો દીવો લગાવે છે અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ વહેંચે છે. પણ અહી રજૂ કરીએ છીએ કેટલાક જુદા ઉપાયો.

1. લક્ષ્મીનું પ્રતિક કોડીઓ - પીળી કોડીની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. થોડી સફેદ કોડીઓને કેસર કે હળદરના પાણીમાં ડૂબાડી તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં આવેલ તિજોરીમાં મુકો. કોડીઓ ઉપરાંત એક નરિયળની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ચમકતા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકી દો.

2. શંખનુ મહત્વ : શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ રત્નોમાંથી એક છે. લક્ષ્મીની સાથે ઉત્પન્ન થવાથી તેને લક્ષ્મી ભ્રાતા(ભાઈ) પણ કહેવાય છે. એ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર મુકો.

3. પીપળાની પૂજ ા: દર શનિવારે પીપળને પાણી ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વધારો થશે.

4. ઈશાન ખૂણો ; ઘરનો ઈશાન ખૂણો હંમેશા ખાલી મુકો. બની શકે તો ત્યા પાણીથી ભરેલુ એક પાત્ર મુકો. તમે ઈચ્છો તો ત્યાં કળશ પણ મુકી શકો છો.

5. વાંસળી મુકો ઘરમાં : વાંસમાંથી બનેલી વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી મુકી હોય છે ત્યાં લોકોનો પરસ્પર પ્રેમ બન્યો રહે છે અને સાથે જ સુખ-સમૃદ્ધિ પણ કાયમ રહે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments