Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં શાંતિ માટે શુ કહે છે વાસ્તુ ?

Webdunia
N.D
રસોડામાં જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ રાખો. પાણીનું માટલું તમારા હાથની ડાબે બાજુ હોવું જોઇએ. આને શુભ માનવામાં આવે છે. જેનાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે.

- ઘરમાં પ્લાંટ્સ રાખવાથી સમૃદ્ધિ જળવાઇ રહેશે. તેથી ઘરમાં મની પ્લાન્ટ લગાવો. અશ્વગંધાનો છોડ રાખવાથી તંદુરસ્તી કાયમ રહે છે. આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આવુ કરવાથી ઘર શણગારેલુ, શાંતિ આપનારુ અને સુખમય વાતાવરણ લાગશે.

- ઘરમાં ક્યારેય હિંસક પ્રાણીઓ કે પક્ષીઓ, ડૂબતો સુરજ, જહાજ, ઉદાસ કે રડતાં ચહેરાઓ ન લગાવો આનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે.

- બેડરૂમમાં પલંગની નીચે સામાન મૂકવાથી પલંગ પર સૂતા લોકો અને તેના પરિવાર વચ્ચે નાની નાની બાબતો બદલ ઝઘડાઓ થવાની સંભાવના વધી જાય છે. તેથી પેટીપલંગમાં પણ ગાદલા-ગોદડાં કે કપડાં જ મૂકવા જોઇએ.

- ઘર હંમેશાં વ્યવસ્થિત રાખો. એનાથી તમને હકારાત્મક ઊર્જા મળશે.

- ઘરમાં નળ ટપકતો ન હોવો જોઇએ. પાણી ટપકવાનો અવાજ મન અને ઘરની અશાંતિનું કારણ બની શકે છે.

- બંધ ઘડિયાળ ખરાબ સમય અને તકલીફને આમંત્રે છે તેથી ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહી

- ઘરના દરવાજા કે બારી ખોલતી વખતે તેમાંથી અવાજ આવવો જોઇએ નહીં. એનાથી ઘરમાં તણાવવાળું વાતાવરણ ઉદ્ભવે છે.

- ઘરની અંદર સૂકાયેલા ફુલ કે કાંટાવાળા છોડવા રાખવા નહીં.

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments