Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષ મુક્તિના કેટલાક સરળ ઉપાય

નકારાત્મક ઉર્જાને દૂર કરો

Webdunia
N.D
તમને જાણ હોવી જોઈએ કે મકાનના પ્રવેશ દ્વાર સામે કોઈ રોડ, ગલી કે ટી જંક્શન હોય તો આ ગંભીર વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને એ મકાનોમાં જે દક્ષિણ અને પશ્ચિમ મુખી હોય છે. એવુ માનવામાં આવે છે કે આવા મકાનમાં રહેનારા લોકોને પ્રત્યેક કામમાં અસફળતા સાંપડે છે.

વાસ્તુદોષથી મુક્તિ માટે આ ઉપાય કરો : -

- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે.

- તમરા મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલકની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ખંડેર જેવુ મકાન આવેલુ હોય, અથવા કોઈ ઉજ્જડ જમીન કે પ્લોટ પડેલો હોય કે પછી વરસોથી બંધ પડેલુ મકાન હોય, સ્મશાન કે કબ્રસ્તાન આવેલુ હોય તો આ અત્યંત અશુભ છે. આવા મકાનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવવા માટે એક કાચની પ્લેટમાં થોડા ફટકડીના નાના-નાના ટુકડા બારી, દરવાજા કે બાલકનીની પાસે મુકી દો તેમજ તેને દર મહિને નિયમથી બદલતા રહો તો વાસ્તુદોષથી મુક્તિ મળે છે.

- જો મકાનના કોઈ રૂમમાં સૂવવાથી જુદા જુદા ભયાનક સપના આવતા હોય અને જેના કારણે તમને આખી રાત ઉંધ ન આવતી હોય, ખરાબ સપના જોયા પછી નાના બાળકો જલ્દી સૂઈ નથી શકતા અને આખી રાત જાગે છે અથવા રડતા રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૂમમાં એક જીરો વોટનો પીળા રંગનો નાઈટ લેમ્પ અથવા બલ્બ લગાવી રાખો. આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.

- ક્યારેક બાળકોને મકાનમાં કોઈ રૂમમાં એકલા જવાનો ભય લાગે છે, એ રૂમમાં સૂવવાના નામથી જ તેઓ ભયથી કાંપી ઉઠે છે, આવા સમયે બેડ કે પલંગના માથા તરફ (જ્યાં માથુ મૂકીને સૂતા હોય) ના બંને કિનારોમાં તાંબાના તારથી બનેલી સ્ર્પિંગ જેવી કડીઓ નાખી દો. આ કડીઓ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. કડીઓને ખૂણામાં નાખવાથી લાભ ઝડપથી થાય છે.

N.D
- જો કોઈ મકાનની છત ઉપર પૂર્વ, ઉત્તર કે પૂર્વાત્તર દિશાઓમાં રૂમ, સ્ટોરરૂમ કે સર્વંટ રૂમ વગેરે બનેલા હોય અને આ ત્રણે દિશાઓ દક્ષિણ-પશ્ચિમના નેઋત્ય ખૂણાથી ઉંચી બનેલી હોય તો આવા મકાન મકાનમાલિકને ક્યારેય સુખ નથી આપતા. મકાનમાલિક કાયમ પરેશાન અને દુ:ખી રહે છે.

આવા મકાનના માલિક પોતાના જીવનમાં કાયમ નોકરીઓ બદલતા રહે છે અથવા વેપારમાં નસીબ અજમાવતા રહે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મકાનના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં છત ઉપર એક પાતળો લોખંડનો પાઈપ અને તેના પર પીળી કે લાલ રંગની ધજા લટકાવી દો. જેનાથી દક્ષિણ-પશ્ચિમનો ખૂણો સૌથી ઉંચો થઈ જાય છે.

આ રીતે નાના-મોટા ઘણા ઉપાયો દ્વારા નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવી શકાય છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments