Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ પુસ્તકમાં વૃક્ષોનું મહત્વ

Webdunia
N.D

આપણે ત્યાં દેવ સંસ્કૃતિમાં પ્રકૃતિને શક્તિ રૂપમાં પૂંજવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દરેક કાર્યમાં પ્રકૃતિના નિયમનું પાલન કરે છે ત્યારે તે સુખી અને આરોગ્ય રહે છે. લાલ પુસ્તકની અંદર વૃક્ષોનું કેટલુ મહત્વ છે અને વ્યક્તિની કુંડળી અનુસાર કયાં કયાં વૃક્ષ લાભદાયી છે કે નહિ તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

લાલ પુસ્તકની અંદર દરેક ગ્રહ કોઈને કોઈ વૃક્ષનો કારક છે અને કુંડળીમાં જે સારા ગ્રહ છે તેમાં વૃક્ષનું ઘરની પાસે હોવાનુ શુભ માનવામાં આવે છે. ગુરૂનો ગ્રહ પીપળાના વૃક્ષનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરૂ શુભ હોય તો અને જે ભાવમાં બેઠેલો હોય મકાનના તે ભાગમાં કે પછી તે દિશાની તરફ પીપળાનું વૃક્ષ લગાવવું શુભ છે.

આ વૃક્ષમાં ક્યારેક ક્યારેક દૂધ નાંખતા રહેવું જોઈએ અને તેની આજુબાજુ ગંધકી ન રહેવી જોઈએ. સૂર્ય તેજ ફળના વૃક્ષનો કારક છે જે ભાવમાં બેઠેલો છે તે જ ભાવની તરફ ઘરની બહાર કે અંદર વધારે ફળવાળુ વૃક્ષ લાભદાયી રહે છે. શુક્રનો કારક કપાસનો છોડ છે અને મની પ્લાંટ છોડ પણ શુક્રનો કારક છે. કોઈ પણ જમીનમાં આગળ વધવાવાળી વેલ શુક્રની કારક હોય છે.

જો શુક્ર કુંડળીમાં સારો હોય તો ઘરમાં મની પ્લાંટ લગાવવો ખુબ જ શુભ છે. આજકાલના જમાનામાં ઘર અંદરથી એકદમ પાકા હોય છે. એટલા માટે ઘરમાં શુક્ર સ્થાપિત નથી થતો કેમકે શુક્ર કાચી જમીનનો કારક છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કાચી જમીન ન હોય તો મની પ્લાંટ લગાવવાથી શુભ ફળ આપે છે. મંગળ લીમડાના ઝાડનો કારક છે જેથી તેના ભાવાનુસાર લીમડાનુ ફળ શુભ પરિણામ આપે છે.

કેક્ટસ અને કોઈ પણ પ્રકારના કાંટાવાળા છોડ ઘરમાં લગાવવાના શુભ માનવામાં નથી આવતાં. કેતુ આમલીનું વૃક્ષ, તલના છોડ તેમજ કેળાના ફળનું કારક છે. જો કેતુ ખરાબ હોય તો આ છોડને ઘરની આજુબાજુ લગાવવા ઘરના માલિકના છોકરાઓ માટે અશુભ ફળ કારક હોય છે કેમકે કુંડળીમાં કેતુ તેમના પુત્રને કારક પણ છે.

બુધનો કારક કેળા જે પહોળા પત્તાના વૃક્ષો છે. શનિ કિકર, કેરી અને ખજુરના વૃક્ષનો કારક છે. આ વૃક્ષોને શુભ સ્થિતિમાં પણ ઘરની આસપાસ સ્થાપિત ન થવા દેવા જોઈએ. નારિયેળનું ઝાડ કે આજના જમાનામાં કેક્ટસ રાહુનો કારક છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments