Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે જાણશો નવું ઘર શુભ રહેશ કે અશુભ

Webdunia
નવું ઘર લેતા પહેલા એક વખત તેની પર નજર મારી લેવી જોઈએ કે નવું ઘર તમારા માટે શુભ રહેશ કે અશુભ. તે તમારા માટે કેટલું ઉન્નતિકારક રહેશે. આ હેતુ ખાતર ઘરની ' આવક અને નુકશાન' ની તુલના કરવામાં આવે છે.

આવકની ગણના : ઘરનું ક્ષેત્રફળ કાઢો. આ ક્ષેત્રફળને 8 વડે ભાગી દો. જે સંખ્યા બાકી રહે તેને આવક સમજવી જોઈએ. જો બાકી રહેલી સંખ્યા 1,3,5,7 છે તો ઘર તમારા માટે સુખ સમૃદ્ધિ લાવશે પરંતુ જો 0,2,4,6,8 આવે તો ઘર અશુભ કે ધનની હાનિ કરનાર હોઈ શકે છે. આવામાં ઘરના 'બિલ્ટ અપ એરિયા'માં પરિવર્તન કરીને શુભ આવકને સ્થાપિત કરી શકાય છે.

નુકશાનની ગણના : ઘરના ક્ષેત્રફળને 8 વડે ગુણ્યા બાદ 27 વડે ભાગી દો. આ સંખ્યા ઘરનું ગૃહ નક્ષત્ર બતાવશે. આ સંખ્યાને 8 વડે ભાગી દિધા બાદ બાકી રહેલી સંખ્યા 'વ્યય' કહેવાશે. જો 'આવક'ની સંખ્યા 'વ્યય' કરતાં વધારે છે તો શુભ માનવામાં આવે છે જો આવક અને વ્યય સરખી હોય કે આવક કરતાં ઓછી હોય તો તે ઘર ક્યારેય પણ તમારી ઉન્નતિ નહી થવા દે. આવા ઘરમાં પરિવર્તન કરવું ખુબ જ જરૂરી છે.

ઉદાહરણ : એક ઘરનું ક્ષેત્રફળ 997 વર્ગફુટ છે. આની આવકની ગણના નીચે અનુસાર કરશો.

997 ભાગ્યા 8 શેષ 7

7 વિષય આયામ છે જે શુભ છે.

વ્યયની ગણના : ક્ષેત્રફળ- 997 વર્ગફુટ
997 ગુણ્યા 8- 7976
7976 ભાગ્યા 27
શેષ -11

અહીંયા આવક-વ્યયને જોઈએ તો વ્યય આવક કરતાં વધારે છે તેથી ઘર ધન અને સમૃદ્ધિદાયક નહી રહે. ઘર બનાવતાં પહેલાં આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કરીને નવું ઘર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે.

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments