Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vasant panchmi katha- વસંત પંચમીની પૌરાણિક કથા

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (18:31 IST)
Vasant panchmi katha- દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે
 
વસંત પંચમી પૂજા વિધિ
 
વસંત પંચમીના દિવસે સવારે મંદિરની સફાઈ કરવી. ત્યારબાદ મંદિરમાં એક ચોકી સ્થાપિત કરી અને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવી.
ચોકી પર સ્વચ્છ પીળું કપડું મૂકવાનું ભૂલશો નહીં. ત્યારબાદ માતાની મૂર્તિને પીળા ફૂલ ચઢાવવા. માતાની સામે દીવો પ્રગટાવવો.
ત્યારબાદ માતાને ચંદન, હળદર, પીળી મીઠાઈનો ભોગ ચડાવવો. પૂજાની જગ્યાએ સંગીતનાં સાધનો અને પુસ્તકો અર્પણ કરો.
માતા સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરો અને તેમની જન્મ કથા વાંચો. જણાવી દઈએ કે માતા સરસ્વતીની વંદના પણ પાઠ કરવો જોઈએ.
 
વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા નીચે મુજબ છે 
 
માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા
 
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી હતી. વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ કરી રહ્યા હતા. આ અભાવને પહોંચી વળવા માટે તેમણે પોતાના કમંડળ માંથી પાણી છાંટ્યું. જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું. આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું. ત્રીજો હાથ માલા અને ચોથા હાથ વાર મુદ્રામાં હતો. જ્યારે માતા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારનની દરેક વસ્તુમાં સૂર આવી ગયું. માતાના પ્રગટ થવાના આ દિવસને વસંત પંચમી તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

બચેલા દાળ અને ભાતમાંથી નવી વાનગીઓ બનાવી શકાય છે, સ્વાદ પણ અદભૂત હશે

Tiles Cleaning- ગંદી ટાઇલ્સ સાફ કરવા માટે સરળ હેક્સ

લગ્ન માટે છોકરીને જોવા જતી વખતે કયા પ્રશ્નો પૂછવા જોઈએ? ટિપ્સ જાણો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments