Dharma Sangrah

આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણીનો અનોખો મહિમા

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:37 IST)
ઉત્તરાયણનો પર્વનો અનોખો મહિમા અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તરાયણના દિને આદિવાસી ભાઈઓ ઢોલ વગાડી મુખીના ઘેર ભેગા થઈ સુકન જોઈ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળુ તથા ઝાડ ઉપર દેવ ચકલીને શોધે છે. કાળી ઉભી પુંછડીવાળી દેવચકલીને પુંછડી નીચે કલગી હોય છે. તેને તે પુજનીય ગણે છે. તેને પકડવા માટે તેની પાછળ પડી તેને થકવી નાખી પછી પકડીને કંકુ ચોખાથી પૂજન કરે અને ઘેર-ઘેર ફરી સૌને દર્શન કરાવે છે. દેવ ચકલી હાથમાંથી ઉડયા પછી ક્યાં બેસે તે અગત્યની છે. તેના ઉપરથી આગલા વર્ષની આગાહી થાય છે. દેવચકલી કોઈ સુકા ઠુઠા ઝાડ કે લાકડા ઉપર બેસે તો વર્ષ સુકુ આવશે અને જો લીલા ઝાડ વેલો કે લાકડા પર બેસે તો વર્ષ લીલુ આવશે અને વાડ ઘર કે જમીન ઉપર બેસે તો વર્ષ મધ્યમ આવશે. તેવી આગાહી કરવામાં આવે છે.હવે એક વિચિત્ર ઘટના એવી છે કે આ વિધિમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાય છે. બપોરે બાળકો પતંગ ચગાવે તો યુવાન ભાઈઓ સમૂહમાં ચમારના ત્યાં જઈ ચામડાના કવરમાં કપડાંના ડુચા, ગાભા કરી વોલીબોલ જેવો દડો બનાવે છે. બાદ દરેક વ્યકિત હાથમાં હોકી જેવું ધોખલું લઈ તેને ફટકારે છે. સાથે હાકલા પડકારતા હાકોટા જોઈ ગમે તેવા યુવાનોને સુરાતન ચડી જાય છે. આ રમત જોવા હજારો લોકો મેઘરજ અને શામળાજી, ખેડબ્રહ્માના ડુંગરો ઉપર બેસીને હર્ષ આનંદ અને કીકીયારો પાડી રમનારને પ્રોત્સાહન આપે છે.આ રમત રમનારાઓ એટલા આવેશમાં આવી જાય છે કે પગના ઢીંચણ કે કોણીઓ ઘસાઈ જાય તેની પરવા કરતા નથી અને આ ચામડીનો દડો તુટી નહી જાય ત્યાં સુધી રમતો ચાલુ રાખે છે.આ રમતનું રહસ્ય એવું છે કે આ ચામડાનો દડો તુટી અને ડુચા નીકળી જાય એટલે ગામના મુખીના મકાને ઠોઠા અને ઘી લઇને જાય અને તુટી ગયેલા ગાભાના ઉપરથી ઘી નાખી બાફેલા ઠોઠા નાંખી આ દડાને અગ્નિદાહ દેવામાં આવે છે. પછીથી આ ઉત્સાહને નિહાળી આવતી ઉત્તરાયણ વહેલી આવજો સુખ શાંતિ લાવજો એવી કામના કરે છે અને સૌ કોઈ પરસ્પર એની ખુશાલીમાં મકાઇના ઠોઠા વેચી નાસ્તો કરી થાક ઉતારવા બેસ ેછે. અને જુના વેર ભુલી જઈ નવા સંબંધ પ્રસ્થાપિત કરે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Vijaya Ekadashi February 2026 : વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments