Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેક્સમાં રાહત - સ્ટેડર્ડ ડિડક્શન 50 હજારથી વધીને 1 લાખ રૂપિયા થઈ શકે છે, તેનાથી નોકરિયાતને થશે ફાયદો

Webdunia
ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (18:03 IST)
1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સ્ટેડર્ડ ડિડક્શન વધવાની ધારણા છે. તેને 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરી શકાય છે. આ સિવાય ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ મળતી છૂટ પણ વધી શકે છે
 
-વર્ક ફ્રોમ હોમને કારણે સ્ટેડર્ડ ડિડક્શન વધવાની શક્યતા 
 
 
વર્ક ફ્રોમ હોમ થતા ખર્ચ અને ફુગાવાના કારણે ઉદ્યોગ સંગઠન ફીક્કીએ નોકરી કરનારા લોકો માટેના ધોરણ સ્ટેડર્ડ ડિડક્શનને રૂ. 50,000 થી વધારીને 1 લાખ કરવાની આશા વ્યક્ત કરી છે. નાણાં મંત્રાલયે 2018 ના બજેટમાં લોકોને સ્ટેડર્ડ ડિડક્શનનો લાભ આપ્યો હતો. સ્ટેડર્ડ ડિડક્શન એ રકમ છે જે આવકમાંથી સીધી કપાત કરવામાં આવે છે. બાકીની આવક પર જ કરની ગણતરી કરવામાં આવે છે.
 
 
નવી કર પદ્ધતિથી ડોનેશન પર પણ મળી શકે છે છૂટ 
 
 
છેલ્લા બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આવકવેરાની નવી રચનાની જાહેરાત કરી હતી. પરંતુ એનપીએસ સિવાય કોઈ છૂટ માટેની જોગવાઈ નથી. આગામી બજેટમાં ડોનેશન આપનારા લોકોને કપાતનો લાભ મળી શકે છે
 
 
 
આવકવેરાની કલમ 80G હેઠળ, કોઈપણ વ્યક્તિ, સંયુક્ત હિન્દુ પરિવાર (એચયુએફ) અથવા કંપની, કોઈપણ ફંડ અથવા ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવતા દાન પર કર મુક્તિ મેળવી શકે છે. શરત એ છે કે તમે જે સંસ્થાને આ દાન કરો છો તે સરકાર સાથે નોંધણી કરાવવી આવશ્યક છે. દાન ચેક, ડ્રાફ્ટ અથવા રોકડ દ્વારા કરી શકાય છે. પરંતુ 2000 રૂપિયાથી વધુના દાનની રકમ પર કર કપાતનો લાભ મળશે નહીં.
 
 
 
ટેક્સ સેવિંગ ઈંવેસ્ટમેંટની લિમિટ વધી શકે છે 
 
સરકાર કલમ 80C સહિત અન્ય ટેક્સ બચત રોકાણો હેઠળ કર મુક્તિ મર્યાદામાં વધારો કરી શકે છે. હાલમાં એનપીએસ માટે સેક્શન 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની અને સેક્શન 80 સીસીડી (1 બી) હેઠળ 50 હજાર રૂપિયા સુધીની છૂટની જોગવાઈ છે. 80Cમાં પીએફ, હોમ લોન પ્રિન્સિપલ, એનએસસી જેવા રોકાણો શામેલ છે.
 
 
હેલ્થ ઈંસ્યોરેંસ પ્રીમિયમ પર વધી શકે છે છૂટની સીમા 
 
આરોગ્ય વીમા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટની મર્યાદા વધી શકે છે
 કલમ 80D ડી અંતર્ગત આરોગ્ય વીમા પ્રીમિયમ પર કરવેરા લાભ સરકાર પણ વધારી શકે છે. 80D હેઠળ પતિ-પત્ની અને બાળકોના આરોગ્ય વીમાના પ્રીમિયમ માટે 25 હજાર રૂપિયા સુધીના ચુકવણીના બદલામાં કર છૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત, આશ્રિત માતાપિતા માટે વીમા પ્રીમિયમની ચુકવણી પર 25 હજારથી 50 હજાર રૂપિયા (જો માતાપિતા સિનિયર સિટીઝન હોય તો) ની છૂટ છે. એટલે કે વ્યક્તિ વધુમાં વધુ 75 હજાર રૂપિયા સુધીના પ્રીમિયમ પર જ ટેક્સ છૂટ મેળવી શકે છે. તેને એક કે સવા લાખ રૂપિયા કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments