Festival Posters

Budget 2019 Main Point - 5 લાખ સુધીની આવકવાળાને છપ્પરફાડ રાહત, દર વર્ષે બચશે સાડા 12 હજાર રૂપિયા

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (15:01 IST)
આજે એટલે એક 1 ફેબ્રુઆરીના રોજ સરકાર અંતરિમ બજેટ 2019 રજુ કરી રહી છે. જો કે આગામી કેટલાક મહિનામાં લોકસભા ચૂંટણી થવાની છે. તેથી આ એક અંતરિમ બજેટ છે.   જાણો ક્ષણ ક્ષણની અપડેટ 
-  સરકારની નીયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે,  પિયૂષ ગોયલ
-   અને અંતમાં પિયૂષ ગોયલ બોલ્યા - આ ફક્ત સામાન્ય બજેટ નથી, દેશની વિકાસ યાત્રાનું માધ્યમ છે, આ જે દેશ બદલાઈ રહ્યો છે તેનો શ્રેય દેશવાસીઓને જાય છે: પિયૂષ ગોયલ
-  6.5 લાખની કમાણી કરનાર પ્રોવિડન્ડ ફન્ડ અને બીજી ઈક્વીટિઝમાં રોકાણ કરશે તો કોઈ ટેક્સ આપવો નહી પડે : પિયૂષ ગોયલ
- મહિલાઓને 40 હજારના બેન્ક વ્યાજ પર કોઈ ટેક્સ નહી : પિયૂષ ગોયલ
- સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજાર રૂપિયા વધારીને 50 હજાર કરવામાં આવ્યો : પિયૂષ ગોયલ
- - ટેક્સ છૂટ બાદ લોકસભામાં મોદી મોદીના નારા લાગ્યા, હવે 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચુકવવો નહી પડે આવકવેરાની મર્યાદા વધારવામાં આવી, અઢી લાખથી 5 લાખ કરવામાં આવી
-  નોટબંધી પછી 1 કરોડ લોકોએ પહેલી વાર ટેક્સ ફાઈલ કર્યો: પિયૂષ ગોયલ
- અમારી સરકાર કાળાધનને દેશમાંથી હટાવીનેજ ઝંપશે, નોટબંધીથી 1 લાખ 36 હજાર કરોડ રૂપિયા ટેક્સ મળ્યો: નાણામંત્રી 
-  GSTમાં સતત ઘટાડો રોજબરોજની વસ્તુઓમાં હવે ફક્ત 0% થી 5% ટેક્સ:
- -  વર્ષ 2017-18માં ડાયરેક્ટ ઈનકમ ટેક્સ કલેક્શનમા& 18 ટકાનો વધારો 
-  ક્લિન અને ગ્રીન ઈંડિયાને વધારવા માટે પગલા ઉઠાવીએશુ 
- આગામી પાંચ વર્ષમાં અમારી અર્થ વ્યવસ્થા 5 લાખ કરોડ ડોલર પહોંચી ગઈ  જ્યારે કે 8 વર્ષમાં અમારી અર્થ વ્યવસ્થા 10 લાખ કરોડ ડોલર થઈ જશે 
-  GSTમાં સતત ઘટાડો થતાં ગ્રાહકોને 80 હજાર કરોડ રૂપિયાની રાહત મળી, રોજબરોજની વસ્તુઓમાં હવે ફક્ત 0% થી 5% ટેક્સ: 
<

FM Piyush Goyal: GST is probably the biggest taxation reform implemented since Independence; with tax consolidation, India became one common market; inter-state movements became faster through e-way bills, improving Ease of Doing Business pic.twitter.com/l0fL2SN9x6

— ANI (@ANI) February 1, 2019 >
-  ઘર ખરીદનારને GST બોજ ઓછો કરવાની કોશિશ, 
- મધ્યમવર્ગનો ટેક્સ ઓછો કરવો અમારી પ્રાથમિક્તા: 
- ટેક્સ ફાઈલીંગને સરળ બનાવ્યુ, ટેક્સ કલેક્શન વધીને 12 લાખ કરોડ 
- 24 કલાકમાં રિટર્ન ફાઈલીંગ કરી શકાશે 
-પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 15.56 કરોડ લાભાર્થિઓને  7.23 લાખ કરોડ રૂપિયાનું કર્જ આપવામાં આવ્યુ: પિયૂષ ગોયલ
-  મધ્યમવર્ગનો ટેક્સ ઓછો કરવો અમારી પ્રાથમિક્તા: પિયૂષ ગોયલ
-  પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 15.56 કરોડ લાભાર્થિઓને  7.23 લાખ કરોડ રૂપિયાનું કર્જ આપવામાં આવ્યુ: પિયૂષ ગોયલ
- ખેડૂત ક્રેડિટ કાર્ડની અરજીને સરળ કરવામાં આવશે 
- 2 ટકા વ્યાજની છૂટ ખેડૂત ક્રેડિટ કાર્ડ હેઠળ હવે એનિમલ હસબેંડરીવાલા ખેડૂતોને પણ મળશે. 
- ખેડૂત યોજના 1 ડિસેમ્બર 2018થી લાગૂ થશે. 
- રાષ્ટ્રીય કામઘેનુ આયોગનુ એલાન કર્યુ. ગાયને લઈને આયોગ કામ કરશે. 
- પીયૂષ ગોયલે 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનુ વચન દોહરાવ્યુ 
- ખેડૂતોની પરેશાની દોરો કરવાનુ કામ આ સરકારે કર્યુ છે. 
 
- મનરેગા માટે વર્ષ 2019-20માં 60 હજાર કરોડ રૂપિયાની વહેંચણી 
- 11 લાખ 68 હજાર કરોડ્ રૂપિયાની પાક લોન્મ આપી ચુકાઈ છે. 
- 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. 
- 2 હજાર રૂપિયાના હપ્તામાં મળશે પૈસા.. 100 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપ્શે.  12 કરોડ ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. 
-  નાના ખેડૂતોએન ઈનક્મ સપોર્ટ આપવામાં આવશે.  12 કરોડ ખેડૂત પરિવારને તેનો સીધો લાભ મળશે. 
- પીએમ ખેડૂત યોજના હેઠળ 2 હેકટેયર સુધીની જમીન છે. તેને 6 હજાર રૂપિયા પ્રતિ વર્ષ ડાયરેક્ટ ઈનકમ સપોર્ટ મળશે. 
- દેશમાં 21 એપ્સ કામ કરી રહ્યા છે.  14ની જાહેરાત વર્ષ 2014માં થઈ ચુકી છે. 
- આયુષ્યમાન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોની સારવારની વ્યવસ્થા છે. 

- - અમારી સરકારની આ મોટી સફળતા છે કે અમે મોંઘવારી દરને 4.6 ટકા સુધી લઈ આવ્યા. તે કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીમાં ઓછી હતી. ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોઘવારી દર હતો : નાણાંમંત્રી
- અમારી સરકારે મોંઘવારી પર લગામ લગાવી, અમે કમરતોડ મોંઘવારીને નાથવામાં સફળતા મેળવી: નાણાંમંત્રી
- ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થઈ જશે, અમે ન્યૂ ઈન્ડીયા તરફ ગતી કરી છે: નાણાંમંત્રી
- આપણી અર્થવ્યવસ્થા ખુબજ તેજ ગતિથી વધી રહી છે, દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ ભારત: નાણાંમંત્રી
- મનીષ તિવારીએ કહ્યુ - આજે સવારથી જ સરકારના સૂત્ર મીડિયા હાઉસને બજેટના પોઈંટ મોકલી રહ્યા છે. જો આ વાતો નાણાકીય મંત્રીના ભાષણમાં રહી તો તેને એક લીક માનવામાં આવશે. જે બજેટ સુરક્ષાનો મોટો મુદ્દો છે. 
- કેન્દ્રીયકેબિનેટને અંતરિમ બજેટ 2019ની મંજૂરી આપી દીધી છે. 
- થોડી જ વારમાં નાણાકીય મંત્રી પીયૂષ ગોયલ સંસદમાં બજેટ રજુ કરશે 
- બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે.  આ સાથે જ રેલવે માટે મોટી જાહેરાતો થઈ શકે છે 
- નેતા પ્રતિપક્ષ મલ્લીકાર્જુન ખડગે એ કહ્યુ, સરકાર આ બજેટમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા લોકલોભામણી સ્કીમ રજુ કરશે.  જે બજેટ સરકાર રજુ કરશે તે જનતાને લાભ નહી પહોંચાડે. આજે ફક્ત જુમલા બહાર આવશે. તેમની પાસે આ સ્કીમને લાગૂ કરવા માટે ફક્ત 4 મહિના જ રહેશે. 
- કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ રાજનાથ સિંહ અને રવિશંકર પ્રસાદ સંસદ ભવનમાં પહોંચી ચુક્યા છે. 
- કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યુ છેલ્લા પાંચ બજેટ ખેડૂતોને સમર્પિત હતા. સરકારનુ છઠ્ઠુ બજેટ પણ ખેડૂતોએન માટે જ હશે. બજેટમાં તેમને સશક્ત બનાવવા પર જોર આપવામાં આવશે. 
- બજેટ 2019 પહેલા શેયર માર્કેટમાં તેજી કાયમ છે. 55ની તેજી સાથે ખુલ્યા પછી સેસેક્સ 10.17 વાગ્યે 1.55 અંકોના વધારા સાથે 36,408.13 અંક પર પહોંચી ગયુ છે. 

સંબંધિત સમાચાર

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments