Festival Posters

સિંહસ્થ મહાકુંભ - આ 121 ફીટ લાંબી અને 4 હજાર કિગ્રાની અગરબત્તી સતત 45 દિવસ સુવાસ ફેલાવશે

Webdunia
રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (12:54 IST)
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થનાર સિંહસ્થ મહાકુંભ માટે એક ખાસ અગરબત્તી તૈયાર થઈ રહી છે. આશરે 121 ફુટ લાંબી અને 4 હજાર કિગ્રાની આ અગરબત્તી શહેરની ગૌરક્ષક સમિતિ દ્વારા તૈયાર થઈ રહી છે. છેલ્લા  60 દિવસથી એને બનાવવાનું  કામ ચાલી રહ્યુ  છે અને એમાં હજુ  પણ 10 દિવસનો  સમય લાગશે. 
 
સતત 45 દિવસ સુધી ચોવીસ કલાક સળગશે આ અગરબત્તી. 

 
શોભાયાત્રાની સાથે 26 ફેબ્રુઆરીએ આ અગરબત્તી ઉજ્જૈન પહોંચશે. જ્યાં માર્ચમાં કામધેનું મહાયજ્ઞના સમયે અગરબત્તી પ્રજ્જવલ્લિત થશે. એ પછી આ સતત 45 દિવસ સુધી એની સુગંધથી કુંભ મેળાને મહેકાવશે. 
 

 
વિશ્વની સૌથી લાંબી અગરબતી
ગૌરક્ષક સમિતિના મુખિયા વિહાભાઈ ભરવાડના દાવો છે કે આ વિશ્વની સૌથી લાંબી અને ભારે અગરબત્તી છે. આથી એને ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન  આપવાની કોશિશ કરી રહયા  છે. એને બનાવા માટે 2,95,350 રૂપિયાનું રોકાણ થયુ છે.  કોઈ પણ પ્રકારના રસાયણનો આ અગરબત્તીમાં  ઉપયોગ થયો નથી. 

 
કેવી રીતે પહોંચશે ઉજ્જૈન
 
અગરબત્તીને શોભાયાત્રા કાઢી વડોદરાથી રોડ માર્ગ દ્વારા એક ટ્રેલરમાં રાખી ઉજ્જૈન લઈ જવાશે. અગરબત્તી ત્રણ ભાગમાં હશે જેને ઉજ્જૈન જઈ ફરીથી જોડવામાં આવશે.  ઉજ્જેન પહોંચ્યા પછી એને તૈયાર કરવામાં બીજા 5 દિવસના સમય લાગશે. 
 
ગાયનું છાણ  : 2100કિલોગ્રામ
ગોમૂત્ર : 520 લીટર 
દૂધ : 180 લીટર 
દહી: 180 લીટર 
ગૂગલ : 520
નારિયળની જટાઓ (છાલટા)  :500 કિલોગ્રામ
ગાયનું  શુદ્ધ ઘી :45 કિલોગ્રામ
વાંસના બાંબૂ : 200 કિલોગ્રામ
વધુ જુઓ..

જરૂર વાંચો

દાળ ભુખારા

લગ્ન દરમિયાન કન્યાના માંગમાં કેટલી વાર સિંદૂર લગાવવામાં આવે છે?

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

Show comments