Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાન નહી, Inzamam ul Haq એ ભારતને બતાવી T20 વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર

IND vs PAK
Webdunia
ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (18:15 IST)
India vs Pakistan, ICC T20 World Cup 2021: ટી20 વિશ્વ કપ-2021માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે 24 ઓક્ટોબરે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. બંને ટીમો વચ્ચે ટી20 વિશ્વકપમાં 5 મુકાબલા રમાયા છે, જેમા બધી મેચ ભારતે પોતાને નામ કરી. વિશ્વકપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ભારત સામે ખૂબ જ ખરાબ રહ્યો છે. આવામાં પૂર્વ પાકિસ્તાની કપ્તાન ઈંજમામ ઉલ હક (Inzamam ul Haq) એ ભારતને ખિતાબનો પ્રબળ દાવેદાર બતાવ્યો છે. 
 
ઈંજમામ ઉલ હક મુજબ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ટીમ યૂએઈની પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરશે, કારણ કે તે એ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ઈંજમામે પોતાના યૂટ્યુબ ચેનલ પર કહ્યુ, દરેક ટૂર્નામેંટમાં કોઈ ટીમ પ્રબળ દાવેદાર હોય છે પણ મને લાગે છે આ વિશ્વકપમાં ભારતની જીતવાની આશા વધુ છે. કારણ કે તે આ પરિસ્થિતિઓને સારી રીતે જાણે છે. 
 
તેમણે કહ્યું, “ભારતના બેટ્સમેનો કરતા બોલરો પાસે વધુ અનુભવ છે. હાલ રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દરેક બોલરે શાનદાર પ્રદર્શન કર્યું છે.
 
ઇન્ઝમામે ઓસ્ટ્રેલિયા સામે ભારતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારત ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ સરળતાથી રમ્યું. ભારતની ટીમ ઉપમહાદ્વિપની પિચો પર શાનદાર રમત બતાવે છે. તેમણે કહ્યું કે જો માત્ર આ મેચ જોવા જઈએ તો તેમને વિરાટ કોહલીની જરૂર પણ ન પડી. 
 
જો કે, ઇન્ઝમામે એ નથી કહ્યું કે ભારત અને પાકિસ્તાનમાંથી સુપર-12 માં કઈ ટીમ ઉપર રહેશે. વર્ષ 2007માં, ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પોતાનુ એકમાત્ર ટી 20 ટાઇટલ જીત્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments