Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anupama: વનરાજને આવશે હાર્ટ અટેક, શુ સુધાંશુ પાંડે શો માંથી બહાર થશે ?

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (22:46 IST)
ટીવી સિરિયલ અનુપમા(Anupama)ની સ્ટોરી હાલના દિવસોમાં ફિલ્મી ઢબે આગળ વધી રહી છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અભિનીત આ સિરિયલમાં હજુ ઘણા ધમાકેદાર ટ્વિસ્ટ આવવાના છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સુધાંશુ પાંડેએ પોલિટિકલ ડ્રામા આધારિત વેબ સિરીઝ સાઈન કરી છે. આ સાથે, એવી અફવાઓ ઉડવા લાગી કે સુધાંશુ અધવચ્ચે અનુપમાને ટા-ટા બાય-બાય કહેશે. આગામી દિવસોમાં મેકર્સ આ સિરિયલની સ્ટોરી એ રીતે વધારશે કે હવે આ અફવાઓ સાચી લાગવા માંડશે.
 
કાવ્યાના કારણે બધા રસ્તા પર આવશે
 
બીજી તરફ, કાવ્યા બધાને કહેશે કે હવે શાહ હાઉસનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે તેની સામે કોઈનુ ચાલશે નહીં. કાવ્યા એક પછી એક બધાને શાહ હાઉસમાંથી બહાર કાઢશે. આવી સ્થિતિમાં વનરાજ ક્યાંયનો નહી રહે. 
 
વનરાજને હાર્ટ એટેક આવશે
 
અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજની હાલત બગડવાની છે. વનરાજને લાગવા માંડશે કે તેના ઘરમાં થતા ઝઘડા માટે તે પોતે જ જવાબદાર છે. પરિસ્થિતિ બેકાબૂ જોઈને વનરાજ પરેશાન થઈ જશે અને તેને હાર્ટ એટેક આવશે. ટેલીચક્કરના એક અહેવાલ મુજબ, આ દિવસોમાં અનુપમાના સેટ પર આ ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે
 
શું સુધાંશુ પાંડે શો છોડશે?
 
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું સુધાંશુ પાંડે ખરેખર અનુપમાને છોડી દેશે? શું મેકર્સ વનરાજના હાર્ટ એટેકવાળા ટ્રેક એ માટે લઈને આવશે જેથી સુધાશું પાંડેના પાત્રને શોમાંથી સરળતાથી કાઢી શકાય? હાલમાં સુધાંશુ પાંડે તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સુધાંશુ પાંડે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

કાચી કેરીમાંથી થોક્કુ તૈયાર કરો, રોટલી સાથે ખાવાની મજા આવશે.

આગળનો લેખ
Show comments