Biodata Maker

Anupamaa SHOCKING twist: કિંજલ સામે આવ્યુ તોષૂના અફેયરનુ સત્ય, સુસાઈડ કરશે અનુપમાની વહુ

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (13:48 IST)
Anupamaa SHOCKING upcoming twist: ટીવી સીરિયલ અનુપમા પોતાના ટ્વિસ્ટ્સ અને ટર્નસ ને કારણે ફેંસના પસંદગીનો શો છે. આ શો દરેક વખતે કંઈક એવુ લઈને આવે છે જે ફેંસને ઈમ્પ્રેસ કરી જાય છે. હાલ મેકર્સએ ટીઆરપી વધારવા માટે શો માં બતાવ્યુ  છે કે  કિંજલની પ્રેગનેંસીને કારણે તોષૂ શારીરિક જરૂરિયાત માટે બહાર ગર્લફ્રેંડ બનાવી લે છે. જ્યારે તેની હકીકત તેની મા અનુપમાને જાણ થાય છે તો તે ખૂબ જ ગુસ્સે થાય છે. અનુપમા પુત્ર તોષૂને રૂમમાં લઈ જાય છે અને ત્યા તોષુ આ વાત સ્વીકાર કરે છે કે તેના જીવનમાં એક યુવતી છે. તોષૂ જણાવે છે કે તે એ યુવતી સાથે પ્રેમ નથી કરતો. તેની સાથે કોઈ ઈમોશનલ સંબંધ નથી પણ તે શારીરિક જરૂરિયાત માટે તેની સાથે ટાઈમપાસ કરી રહ્યો છે. આ સાંભળતા જ અનુપમાનો પારો ચઢી જાય છે અને તે તોષુથી નારાજ થઈ જાય છે. 

 
તોશુની વાતો સાંભળીને અનુપમા રડવા લાગે છે અને તેને પોતાના પુત્ર પ્રત્યે નફરત થવા લાગે છે.  તોષુ કહે છે કે તે પેલી છોકરી માટે કિંજલને નહીં છોડે,   અનુપમા તેને પૂછે છે કે જો કિંજલે પણ આવું કર્યું હોત તો તેણે શું કર્યું હોત? તોશુ કહે છે કે તે કાં તો કિંજલને મારી નાખશે અથવા તો પોતે મરી જશે  અનુપમા આ બધી વાતો કિંજલને કહેવા માંગે છે પરંતુ રાખીએ તેને સોગંધ અ અપે છે કે તેણે પોતાના બાળકોનુ ઘર ન તોડવુ જોઈએ.  જોકે અનુપમા કહે છે કે તે પોતાની પુત્રવધુ સાથે દગો નથી કરી શકતી. 

 
કહેવાય છે કે સત્ય લાખ છુપાવો છાનુ રહેતુ નથી. એક દિવસ સામે આવી જ જાય છે.  અનુપમાના આગામી એપિસોડમાં કિંજલને તોશુના અફેર વિશે ખબર પડશે.  તે આ આઘાત સહન કરી શકતી નથી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. હવે આગળ શું થશે, આવનારા એપિસોડમાં જ ખબર પડશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

આગળનો લેખ
Show comments