Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો. હાથીને યાદ કરતા બબિતાજીની આંખો ભરાઈ આવી, બોલ્યા - હું સદમાંમાં છુ અને સેટ પર..

Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (13:04 IST)
સબ ટીવી પર પ્રસારિત થનારા પૉપુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ હંસરાજ હાથીનુ સોમવારે નિધન થઈ ગયુ. ડૉ.  હાથીને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના નિધનથી શો ની સમગ્ર કાસ્ટ સદમામાં છે. શો નું શૂટિંગ પણ રોકવામાં આવ્યુ છે. 
શો મા બબિતાજીનો રોલ ભજવનાર મુનમુન દત્તાએ કવિ કુમાર આઝાદ મતલબ ડૉ. હાથીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફેસબુક પર તેમની કેટલીક તસ્વીર શેયર કરતા લખ્યુ, 'અમે તમને કંઈક આ રીતે યાદ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશુ. 
મુનમુને લખ્યુ છે, 'હંમેશા ખુશ રહેનારા વ્યક્તિ, જે સવાર સવારે સ્માઈલથી સૌને અભિવાદન કરતા હતા. અમે દૂર બેસીને તમારુ ગીત સાંભળતા હતા. તેમનો વાત કરવાનો અંદાજ ખૂબ જ ક્યૂટ હતો અને તેઓ સૌના શુભચિંતક હતા. દરેક પરિસ્થિતિમાં તેઓ હસતા રહેતા હતા. 
આજે અમને કેવુ લાગી રહ્યુ છે તે વર્ણન કરવા માટે શબ્દો નથી. સેટ આજે બધાની આંખોમાં આંસૂ છે. આ અમારી માટે ખૂબ મોટો ઝટકો છે.  અમે ગઈકાલે જ તો એકસાથે શૂટિંગ કર્યુ હતુ.  અમે એ અંતિમ ક્ષણને યાદ કરી રહ્યા છીએ. 
 
ભગવાન તમારી આત્માને શાંતિ આપે હાથી ભાઈ. મારી ખુશકિસ્મતી કે તમારી સાથે મુલાકાત થઈ.  મારી સાથે સ્પેશ્યલ સિંધી પરાઠા શેયર કરવા માટે ખૂબ ખૂબ આભાર. હુ શોકગ્રસ્ત છુ. 
 
ઉલ્લેખનીય છે કે ડો. હાથી ફક્ત 37 વર્ષના હતા. ડો. હાથી વિશે શો માં ભિડે નો રોલ ભજવનારા મંદાર ચાંદવડકરે કહ્યુ કે 'તેમણે પોતાના બધા કામ ખતમ કરીને દુનિયાને અલવિદા કહ્યુ, તેઓ કોઈ પણ કામ અધુરુ છોડતા નહોતા. સાચી દ્રષ્ટિએ હવે તેઓ આઝાદ થઈ ગયા છે. 
 
સોમવારે સવારથી અમને બધાને ફિલ્મસિટીમાં એક સીકવેંસ શૂટ કરવાની હતી. પછી જાણ થઈ કે આઝાદની તબિયત ખરાબ છે તો અમે તેમના વગર જ શૂટિંગમાં આગળ વધ્યા. તેઓ મારા ખૂબ જ નિકટ હતા. તેઓ મને હંમેશા પૂછતા કે આજે ટિફિનમાં શુ લાવ્યા છો. તેમને ખાવાનો ખૂબ શોખ હતો. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments