Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સત્યમેવ જયતે' ને તોડીમોડીને રજૂ કયો છે - ઓસ્કર વિજેતા રેસુલ

Webdunia
P.R
ગત મહિને જ સમાપ્ત થઈ ચૂકેલો આમિર ખાનનો જાણીતો ટીવી શો 'સત્યમેવ જયતે' ફરીથી એક વાર ચર્ચામાં આવ્યો છે.

દિલ્હી સ્થિત એક જાણીતા અખબાર સાથેના ઈન્ટરવ્યૂમાં ઓસ્કાર વિજેતા સાઉન્ડ સ્પેશિયાલિસ્ટ રેસુલ પુકુટ્ટીએ દાવો કર્યો હતો કે 'સત્યમેવ જયતે' સંપૂર્ણ રીતે તોડી-મરોડીને રજૂ કરાયેલો શો હતો, કારણ કે શોમાં ઘણું બધુ સાઉન્ડ પોસ્ટ-પ્રોડક્શન કામ કરવામાં આવ્યુ હતું. તેને એક ફિલ્મની જેમ ટ્રિટ કરવામાં આવ્યો હતો જેથી દર્શકોને બ્લેકમેલ કરી શકાય. હજી સુધી આમિર ખાન કે શો સાથે સંકળાયેલી ટીમના કોઈ પણ સભ્યે રેસુલના નિવેદનનો કોઈ જવાબ નથી આપ્યો. જો કે, આ પહેલી વાર નથી કે કોઈએ શોની વિરુદ્ધમાં કોઈ નિવેદન કે આક્ષેપ કર્યા હોય.

આ પહેલા દિલ્હી સ્થિત બેન્ડ 'યુફોરિયા'એ દાવો કર્યો હતો કે 'સત્યમેવ જયતે'નું ટાઈટલ ટ્રેક તેમના એક દાયકા જૂના ગીતમાંથી ઉઠાંતરી કરીને બનાવાયું છે. આ સિવાય શોના એક એપિસોડમાં જ્યારે તબીબી ક્ષેત્રની ગેરરીતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટરોના અમૂક જૂથોએ તેમના વ્યવસાયની માત્ર એક જ બાજુ રજૂ કરવાનો આક્ષેપ કર્યો હતો અને આમિરને તેમની માફી માંગવાની પણ માંગ કરી હતી.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments