Webdunia - Bharat's app for daily news and videos

Install App

તનીષાનુ અપમાન થતા સલમાને બિગ બોસ છોડવાની ધમકી આપી !!

Webdunia
. પોતાના દમ પર રિયાલીટી શો બિગ બોસને હિટ બનાવનારા સલમાન ખાન અચાનક શનિવારે નારાજ થઈ ગયા. આ શો દરમિયાન પ્રતિયોગી કુશલ ટંડનનું તનીષા મુખર્જી સાથે અપમાનજનક વર્તન જોઈને તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે વાતો વાતોમાં જ ચેતાવણી આપી દીધી શનિવારના શો દરમિયાન સલમાને કહ્યુ કે આ એપિસોડને કારણે બિગ બોસમાં આ મારો અંતિમ ભાગ હોઈ શકે છે.
P.R


સલમાને કુશળ અભિનેત્રી કાજોલની બહેન તનીશા મુખર્જીની સાથે અસભ્યતા ભર્યા વર્તનથી ખૂબ વરસ્યા. તેમણે કુશાલને કહ્યુ કે જો તમે એવુ વિચારી રહ્યા હોય હોય કે અહીથી ગયા પછી તમે ચપટીમાં તમારી ઈમેજ સુધારી લેશો, તો એ તમે ખોટુ વિચારી રહ્યા છો. સલમાને કહ્યુ કે તેમને પણ ખોટી છબિનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે અને તેમણે પોતે અનુભવ્યુ છે કે લોકોના મગજમાં ક્યાક ને ક્યાક ખરાબ યાદો રહી જાય છે.

સલમાનનો ગુસ્સો શાંત તો થયો, પણ આ વિશે તેમણે ટ્વિટર પર પણ લખ્યુ. તેમણે ટ્વીટ કર્યુ, 'તમે જે કંઈ પણ જોયુ, વાત એટલી જ નથી. તમે એક કલાકનો એપિસોડ જુઓ છો, જ્યારે કે મને આખુ અઠવાડિયુ આ બધુ સાચવવુ પડે છે. જો કોઈ સ્ત્રી સાથે ખરાબ વ્યવ્હાર કરવામાં આવે તો બધી મહિલા અને પુરૂષોએ આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

સલમાન આમ તો હરીફો સાથેની વાતચીતના ક્રમમાં ધણીવાર થોડો ગુસ્સો જરૂર કરે છે, પણ આવુ પહેલીવાર બન્યુ કે જ્યારે તેમણે શો છોડવા સુધીની ચેતાવણી આપી દીધી. આ વાત કોઈનાથી છિપી નથી કે પોતાની ફિલ્મોની જેમ જ સલમાન બિગ બોસને પણ દર વર્ષે સુપર ડુપર હિટ બનાવી દે છે. તેથી જ તો શો ના આયોજક તેમને દર વખતે મોં માંગી રકમ પર લઈ લે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments