Biodata Maker

Chanakya Niti: મનુષ્યનુ સૌથી મોટુ હથિયાર છે આ એક વસ્તુ, જે અપનાવશે તેની દરેક મુશ્કેલી ચપટીમાં થશે દૂર

Webdunia
બુધવાર, 17 મે 2023 (11:27 IST)
chanakya

Chanakya Niti: ચાણક્ય નીતિ કહે છે કે સકારાત્મક રહેશેઓ તો મુશ્કેલીઓને દૂર કરવામાં વધુ સમય નહી લાગે. ધનને લઈને ચાણક્યએ વિસ્તારપૂર્વક પોતાના વિચાર જણાવ્યા છે. તેઓ કહે છે કે મહેનતનુ ફળ અને સમસ્યાઓનુ હલ ઈમાનદારીથી કામ કરનારાઓને મળી જ જાય છે. 
 
પૈસો જ્યાં સુખ આપે છે, ત્યાં તેને છીનવી પણ લે છે, પરંતુ જીવન ભલે ગમે તેટલું મુશ્કેલ લાગે, પરંતુ ચાણક્યએ એક એવી વાત કહી છે જે પૈસાથી ઉપર છે, જેની પાસે છે તે મુસીબતોથી ડરતો નથી. ચાણક્યએ તેને માણસનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણાવ્યું છે.
 
કામઘેનુ ગાયના સમાન છે જ્ઞાન 
 
ચાણક્ય અનુસાર જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિમાં ક્યારેય સંકોચ અનુભવતો નથી, તેને દુ:ખના વાદળો સ્પર્શ પણ નથી કરી શકતા. જ્ઞાનની મદદથી વ્યક્તિ સફળતાના શિખરે પહોંચી શકે છે. ચાણક્યએ ધનવાન કરતાં જ્ઞાની અને બુદ્ધિશાળીને શ્રેષ્ઠ વ્યક્તિ ગણ્યા છે. જ્ઞાની વ્યક્તિ દરેક જગ્યાએ આદર પામે છે, પછી ભલે તે આર્થિક રીતે નબળી હોય. ચાણક્ય કહે છે કે જ્ઞાન મેળવવું એ કામધેનુ ગાય જેવું છે જે દરેક ઋતુમાં મનુષ્યને અમૃત પ્રદાન કરે છે, તેથી જ્યારે પણ અને જ્યાં પણ મળે ત્યારે જ્ઞાન લેવું જોઈએ. જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી.
 
જ્ઞાન સાથે અનુભવ અપાવે છે સફળતા  
 
જ્ઞાન અને અનુભવ એક સિક્કાના બે બાજુ છે. માણસને જ્ઞાન તો હોય છે પણ અનુભવ ત્યારે જ મળે છે જ્યારે એ સ્થિતિમા જીવે.  જે વસ્તુઓનુ જ્ઞાન લીધુ છે એનો અભ્યાસ પણ જરૂરી છે. ત્યારે જ મનુશ્ય સારા અને ખરાબનો ફરક કરવામાં સફળ બને છે. મનુષ્યના જીવનમાં જેટલુ જ્ઞાન જરૂરી છે એટલો જ અનુભવ પણ જરૂરી છે. 
 
ચાણક્ય મુજબ આ એવો ગુણ છે જેના બળ પર વ્યક્તિ મોટામાં મોટુ લક્ષ્ય ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનનો ક્યારેય ઘમંડ ન કરવો. વિદ્યા વહેચવાથી વધે છે અને તેનાથી વ્યક્તિ ઉંચુ પદ પ્રાપ્ત કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Putin poop suitcase - શા માટે પુતિન પોતાની પોટ્ટી સુટકેસ સાથે રાખે છે

Gold Silve Price today- સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો, ચાંદીના સર્વોચ્ચ સ્તરે; વર્તમાન દર જાણો.

Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?

Vladimir Putin schedule- વ્લાદિમીર પુતિનનો 30 કલાકનો, મિનિટ-દર-મિનિટનો સમયપત્રક: પીએમ મોદી સાથે મુલાકાત, સંરક્ષણ સોદો પર મહોર, અને યાદીમાં વધુ

Year Ender 2025- આ વર્ષે ભારતના પાંચ સૌથી ટ્રેન્ડિંગ સ્થળો સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય હતા.

વધુ જુઓ..

ધર્મ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments