Webdunia - Bharat's app for daily news and videos

Install App

સક્સેસ મંત્ર - તમારી મંઝિલ જાતે નક્કી કરો, સફળતા જરૂર મળશે

સક્સેસ મંત્ર
Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (04:35 IST)
સફળતા પ્રાપ્ત કરવા માટે લોકો સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વખત સફળતા પ્રાપ્ત થતી નથી. જીવનનો દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે, કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે, જેમ કે સફળતા મેળવવા માટે આપણે આપણી મંઝીલ જાતે નક્કી કરવાની હોય છે. ઘણી વાર આપણે બીજાની પાછળ દોડતા રહેવાથી અનેકવાર આપણે રસ્તો ભટકી જઈએ છીએ. આવો તમને વિવેકાનંદજીની એક સ્ટોરીના માધ્યમથી જણાવીએ છીએ  કે પોતાની મંઝીલ જાતે નક્કી કરવી કેમ જરૂરી હોય છે. 
 
સ્ટોરી - 
 
એક વ્યક્તિએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે હું સખત મહેનત કરું છું, પરંતુ તેમ છતાં સફળતા મળતી નથી. મને દર વખતે નિષ્ફળતા મળે છે. ત્યારે સ્વામીજીએ તેમને કહ્યું કે તમે જાવ અને તમારા કૂતરાને ફરવા લઈ જાવ. તે વ્યક્તિ તેના કૂતરાને ફરવા લઈ ગયો. જ્યારે તે વ્યક્તિ કૂતરાને ફરાવીને પાછો આવ્યો તો કૂતરો ખૂબ થાકી ગયો હતો, પણ એ વ્યક્તિના ચેહરા પર ચમક હતી. 
 
ત્યારે સ્વામીજીએ તે વ્યક્તિને પૂછ્યું કે તમારો કૂતરો આટલો થાકેલો લાગી રહ્યો છે અને તમારો ચેહરો ચમકી રહે છે, આવુ કેમ ?  જ્યારે તમે બંને એક સાથે ગયા હતા. ત્યારે તે વ્યક્તિ બોલ્યો કૂતરો ગલીના કૂતરા પાછળ ભાગી રહ્યો હતો અને હુ સીધો મારા રસ્તે ચાલી રહ્યો હતો. તેથી કૂતરો થાકી ગયો અને હું થાક્યો નહી. 
 
સ્વામીજીએ તે વ્યક્તિને કહ્યું, આ તમારા સવાલનો જવાબ છે. તમે જ્યારે તમારી મંઝીલ મેળવવા માટે બીજાની પાછળ ભાગતા રહો છો તો થાકી જાવ છો કે પછી રસ્તો ભટકી જાવ છો. જો તમે તમારી મંઝીલ પર સીધા ચાલશો તો તમને સફળ થતા કોઈ નહી રોકી શકે. તેથી કોઈની પાછળ ભાગવા કરતા સારુ છે કે તમારો રસ્તો જાતે જ બનાવતા જાવ. 
 
સીખ - તમારી મંઝીલ(લક્ષ્ય) જાતે નક્કી કરો. બીજાની પાછળ ચાલવાથી તમે થાકી જશો કે પછી રસ્તો ભટકી જશો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments