rashifal-2026

સક્સેસ મંત્ર/ પ્રેરક કથા - જીવનમાં લક્ષ્ય મેળવવા માટે અનુભવ અને આત્મજ્ઞાન પણ છે ખૂબ જરૂરી

Webdunia
શનિવાર, 16 જાન્યુઆરી 2021 (08:12 IST)
જીવનમાં જે રીતે લક્ષ્ય મેળવવા માટે દ્રઢ નિશ્ચય, મહેનત, એકાગ્રતા વગેરે જેવી અનેક વસ્તુઓની જરૂર હોય છે, એ જ રીતે અનુભવ અને આત્મજ્ઞાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અનુભવ તમને નિષ્ફળ થતા બચાવે છે અને આત્મજ્ઞાન તમને સાચી પરખ શિખવાડે છે. આવો જાણીએ આ અંગેની પ્રેરક કથા 
 
એક રાજ્યમાં એક તલવારબાજીનો અનોખો વિદ્વાન રહેતો. બધા જ તેના વિશે જાણતા હતા અને રાજા પણ તેનો આદર કરતા હતા. 
 
થોડા સમય પછી તલવારબાજની ઉંમર થવા આવી.  તેને લાગ્યું કે જો તે મરી જશે, તો તેની પ્રતિભાને વિશે કોઈ જાણશે નહીં. આવી સ્થિતિમાં તેણે તેના રાજ્યના તમામ યુવાનોને તલવારબાજી શીખવવાની જાહેરાત કરી. હવે ઘણા યુવાનોએ  તેમની પાસે આવીને  તલવારબાજી શીખવાનું શરૂ કર્યું. એ બધા યુવકોમાંથી એક યુવકને લાગ્યું કે તેનથી સારી તલવારબાજી કોઈ નથી કરી શકતુ. તેને લાગ્યુ કે મને કોઈ ગુરૂની જેમ કેમ નથી સમજતુ. આ માટે તેણે પોતાના ગુરૂને જ પોતાની સાથે હરીફાઈ કરવાનુ આમંત્રણ આપી દીધુ. 
 
પ્રતિયોગિતાની ઘોષણા કરવામાં આવી હતી, તારીખ પણ નક્કી કરવામાં આવી. હવે શિષ્ય બધી બાબતો શીખવા માટે તેના ગુરૂ  પર નજર રાખવા લાગ્યો.  તેણે એક દિવસ જોયું કે ગુરૂ  ક્યાંક જઈ રહ્યા હતા. શિષ્યએ ગુરૂનો પીછો કર્યો.  ગુરૂ લુહાર પાસે ગયા અને લુહારને 15 ફૂટ લાંબી તલવાર તૈયાર કરવા કહ્યું. શિષ્યને લાગ્યું કે તેના ગુરૂ આટલી લાંબી તલવાર બનાવીને તેનુ માથુ કાપી નાખશે. આવી સ્થિતિમાં તેણે સમય બગાડ્યા વિના 16 ફૂટ લાંબી તલવાર બનાવી લીધી. 
 
હવે સ્પર્ધા નો દિવસ આવી ગયો. હરીફાઈ શરૂ થતાં જ ગુરૂએ પોતાની તલવાર કાઢી  અને શિષ્યના ગળા પર મૂકી દીધી. બીજી બાજુ શિષ્ય તલવાર લાંબી હોવાને કારણે તેને કાઢતો જ રહી ગયો. અહી ગુરૂનો અનુભવ કામ આવ્યો.. તેથી, કંઈપણ મેળવવા માટે, અનુભવ ખૂબ જ જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુર્શિદાબાદ: 40,000 લોકો માટે બનશે બિરયાની, સઉદીના મૌલવી રહેશે હાજર, જાણો નવી બાબરી મસ્જિદના શિલાન્યાસ પર શુ-શું થશે

અમિત શાહ 20 વર્ષ પછી ગાંધીનગરમાં તેમના શિક્ષકને મળ્યા: 30 મિનિટ વાત કરી, પરિવાર સાથે સમય વિતાવ્યો અને બાળપણની યાદો કરી તાજી

Gopal Italia: જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોણે કર્યું આવું ? Video

2026 માં સોનું મોંઘુ થશે કે સસ્તુ, બાબા વાંગાની ભવિષ્યવાણી શું કહે છે?

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments