Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : આ 5 કામ જે લોકો નથી કરતા તેમનુ જીવન પશુ સમાન હોય છે

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (00:15 IST)
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ  કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા તેમનું જીવન પ્રાણીઓ જેવું છે.
 
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા કેટલાક ગુણો વિશે જણાવ્યું છે. શ્લોક છે- 'યેષાં ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શિલમ ન ગુણો ન ધરમઃ, તે મત્ર્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્ચરન્તિ' આ શ્લોકમાં આચાર્યએ વિદ્યા, તપ, દાન અને નમ્રતાનું મહત્વ જણાવ્યું છે. તમે પણ જાણો તેના વિશે.
 
આચાર્યનુ તાત્પર્ય છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિનું જ્ઞાન વિસ્તરણ થાય છે. તે શિક્ષિત વ્યવ્હાર કરે છે અને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી વ્યક્તિએ બને તેટલું જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય માત્ર મનુષ્યોની પાસે જ છે પશુઓ પાસે નથી.  
 
મનુષ્યને જ ભગવાને કામ કરવાનો ગુણ આપ્યો છે, જેથી તે મુક્તિના માર્ગ તરફ આગળ વધી શકે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સારા કર્મો કરવાની સાથે તપસ્યા માટે પણ થોડો સમય ચોક્કસ કાઢવો જોઈએ.
 
 દાનનું મહત્વ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે. દાન કરવાથી તમારા ખરાબ કર્મ દૂર થાય છે અને તમારું જીવન સમૃદ્ધ બને છે. જે વ્યક્તિ પોતાના માટે કમાય છે અને દાન નથી કરતો, તેનું કર્મ પ્રાણી જેવું છે.
 
નમ્રતા હંમેશા જ્ઞાનમાંથી આવે છે. તમે જેટલા નમ્ર થશો, તમારું વ્યક્તિત્વ એટલું જ મહાન બનશે. તેથી તમારા વર્તનમાં નમ્રતા કાયમ રાખો.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments