Dharma Sangrah

ચાણક્ય નીતિ - દરિદ્રતાના રસ્તે લઈ જાય છે વ્યક્તિની આ આદતો, તમે પણ જાણી લો

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (07:07 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનના અનેક પહેલુઓ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. તેની નીતિઓ જીવનને  જીવવાની રીતે બતાવવા સાથે જ સફળતાનો રસ્તો પણ બતાવે છે. આચાર્ય ચાણક્યની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય્છે. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને સમાજશાસ્ત્રના જ્ઞાની પણ માનવામાં જાય છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા વ્યક્તિની એ ટેવો વિશે પણ બતાવ્યુ છે, જે તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. 
 
कुचैलिनं दन्तमलोपधारिणं बह्वाशिनं निष्ठुरभाषिणं च।
सूर्योदये चास्तमिते शयानं विमुञ्चतिश्रीर्यदि चक्रपाणि:।।
 
ચાણક્ય કહે છે કે જે લોકો પોતાની આસપાસ ગંદકી રાખે છે અને સ્વચ્છતા રાખતા નથી. એવા લોકો પર મા લક્ષ્મી પોતાની કૃપા નથી વરસાવતી. ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઈનુ ધ્યાન ન રાખનારા લોકોને પણ ગરીબીનો સામનો કરવો પડી શકે છે.  મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ રોજ પોતાના દાંતની સફાઈ જરૂર કરવી જોઈએ 
 
ચાણક્ય મુજબ જે લોકો પોતાની ભૂખથી વધુ ખાય છે, તે ક્યારેય ધનવાન નથી બની શકતા. કારણ કે વ્યક્તિની આ ટેવ તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. નીતિશાસ્ત્રના મુજબ જે વ્યક્તિ કડવુ બોલે છે, તે ક્યારેય શ્રીમંત નથી બની શકતો. બીજાને દુખી કરનારા પર મા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી નથી આવા લોકોના તેમના સ્વભાવને કારણે અનેક લોકો દુશ્મન પણ હોય છે. 
 
ચાણક્ય અંતમાં કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સૂનારા પર મા લક્ષ્મીની કૃપા નથી રહેતી.  કારણ વગર સૂઈ રહેવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  જે લોકો   બેઈમાન, અન્યાય કરનારા અને લુચ્ચા હોય છે, તેમની પાસે પણ પૈસો ટકતો નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Veda Paresh Sarfare - કેટલાક માટે તે 'જળપરી' છે તો કેટલાક માટે તે 'વોટર બેબી' છે, માત્ર 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરે તેણે અશક્યને શક્ય બનાવી દીધું!

જન ધન ખાતાઓમાં 2.75 લાખ કરોડ જમા: સત્તાવાર

Earthquake hits Japan- જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો, ચાર મજૂર ઘાયલ

ટ્રપ પછી મેક્સિકો કેમ ભારત પર લગાવી રહ્યુ છે 50% ટેરિફ ? 2026 થી થશે લાગૂ, એક્સપર્ટ્સે જણાવ્યુ કારણ

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments