Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - જાણો માં લક્ષ્મી કયા લોકો પર વરસાવે છે પોતાની કૃપા

Webdunia
મંગળવાર, 4 મે 2021 (09:20 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે ચાણક્યની નીતિઓ આજે પણ લોકો વચ્ચે પ્રાસંગિક છે. જાણો કંઈ વાતોનુ ધ્યાન રાખવાથી કાયમ બની રહે છે મા લક્ષ્મીની કૃપા 
 
 
1. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ અસ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે અને કઠોર શબ્દો બોલે છે અને  સૂર્યોદય પછી ઉઠનારા વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા ક્યારેય વરસતી નથી. તેથી વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને મીઠી વાણી બોલવાની સાથે જ સૂર્યોદય પહેલાં ઉઠવુ જોઈએ.
 
2. ચાણક્ય નીતિ અનુસાર કાંટા અને દુષ્ટ લોકોથી બચવાની બે રીત છે.  પ્રથમ, કાંટાથી બચવા માટે પગમાં ચંપલ પહેરો અને દુષ્ટ વ્યક્તિને એટલો શર્મશાર કરી દો કે એ માથુ ઉઠાવી ન શકે અને તમારાથી અંતર રાખી લે. 
 
3.  ચાણક્ય કહે છે કે જ્યારે વ્યક્તિ ધન દોલત ગુમાવી બેસે છે, ત્યારે તેના સંબંધીઓ, મિત્રો અને નોકરો અને પત્ની પણ છોડીને જતી રહે છે. ધન પરત આવે તો  આ બધા પણ પરત આવે છે. ચાણક્યએ ધનને જ સાચો મિત્ર અથવા સંબંધી બતાવ્યો છે. 
 
4.  ચાણક્ય કહે છે કે પ્રેમ એ સત્ય છે જે બીજા માટે કરવામાં આવે છે. ખુદથી જે થાય છે તેને પ્રેમ નથી કહેતા. ઠીક આ જ રીતે કોઈપણ જાતના બાહ્ય દેખાવ વગર કરવામાં આવતુ દાન જ અસલ દાન છે.  

5. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારે પોતાના સંસ્કાર અને ગુણોથી મોઢુ ન ફેરવવુ જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ, ચંદન કપાય ગયા પછી પણ સુગંધ છોડતુ નથી. હાથી વૃદ્ધ થયા પછી પણ પોતાની લીલા છોડતુ નથી.  શેરડીને નિચોડી નાખ્યા પછી પણ તેની મીઠાસ ઓછી થતી નથી. આ જ રીતે એક સારો વ્યક્તિ પોતાના ગુણ અને સંસ્કારોને ક્યારેય છોડતો નથી. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

આગળનો લેખ
Show comments