rashifal-2026

ચાણક્ય નીતિ - જાણો માં લક્ષ્મી કયા લોકો પર વરસાવે છે પોતાની કૃપા

Webdunia
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્ર દ્વારા જીવન સાથે જોડાયેલ સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાના માર્ગ સાથે જ દુષ્ટ લોકોથી બચવાના ઉપાય પણ બતાવ્યા છે. આચાર્ય ચાણક્યને એક કુશળ રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી માનવામાં આવે છે ચાણક્યની નીતિઓ આજે પણ લોકો વચ્ચે પ્રાસંગિક છે. જાણો કંઈ વાતોનુ ધ્યાન રાખવાથી કાયમ બની રહે છે મા લક્ષ્મીની કૃપા 
 
 
1. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ અસ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે અને કઠોર શબ્દો બોલે છે અને  સૂર્યોદય પછી ઉઠનારા વ્યક્તિ પર મા લક્ષ્મીની કૃપા ક્યારેય વરસતી નથી. તેથી વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને મીઠી વાણી બોલવાની સાથે જ સૂર્યોદય પહેલાં ઉઠવુ જોઈએ.
 
2. ચાણક્ય નીતિ અનુસાર કાંટા અને દુષ્ટ લોકોથી બચવાની બે રીત છે.  પ્રથમ, કાંટાથી બચવા માટે પગમાં ચંપલ પહેરો અને દુષ્ટ વ્યક્તિને એટલો શર્મશાર કરી દો કે એ માથુ ઉઠાવી ન શકે અને તમારાથી અંતર રાખી લે. 
 
3.  ચાણક્ય કહે છે કે જ્યારે વ્યક્તિ ધન દોલત ગુમાવી બેસે છે, ત્યારે તેના સંબંધીઓ, મિત્રો અને નોકરો અને પત્ની પણ છોડીને જતી રહે છે. ધન પરત આવે તો  આ બધા પણ પરત આવે છે. ચાણક્યએ ધનને જ સાચો મિત્ર અથવા સંબંધી બતાવ્યો છે. 
 
4.  ચાણક્ય કહે છે કે પ્રેમ એ સત્ય છે જે બીજા માટે કરવામાં આવે છે. ખુદથી જે થાય છે તેને પ્રેમ નથી કહેતા. ઠીક આ જ રીતે કોઈપણ જાતના બાહ્ય દેખાવ વગર કરવામાં આવતુ દાન જ અસલ દાન છે.  

5. ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારે પોતાના સંસ્કાર અને ગુણોથી મોઢુ ન ફેરવવુ જોઈએ. નીતિ શાસ્ત્ર મુજબ, ચંદન કપાય ગયા પછી પણ સુગંધ છોડતુ નથી. હાથી વૃદ્ધ થયા પછી પણ પોતાની લીલા છોડતુ નથી.  શેરડીને નિચોડી નાખ્યા પછી પણ તેની મીઠાસ ઓછી થતી નથી. આ જ રીતે એક સારો વ્યક્તિ પોતાના ગુણ અને સંસ્કારોને ક્યારેય છોડતો નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: ભારતીય ટીમનું વિજય અભિયાન ચાલુ, T20 વર્લ્ડ કપ પછી જીતી સતત 7મી શ્રેણી

IND U19 vs SL U19 semifinal : શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોચ્યુ ભારત, પાકિસ્તાન સાથે થશે સામનો

ગુજરાતમાં આજે જાહેર થઈ SIR ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ, ચેક કરી લેજો તમારુ નામ છે કે નહી

ક્યા છે Divorce Temple ? જ્યા થાય છે પતિ-પત્નીના સંબંધોનો નિર્ણય ! 700 વર્ષ જૂનો છે ઈતિહાસ

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

વધુ જુઓ..

ધર્મ

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments